બિહારમાં મગજનો તાવ વકર્યો, ચિમકીથી બાળકોનો મૃત્યુઆંક વધીને 154 થયો, 16 જિલ્લામાં ફેલાયો AES
abpasmita.in | 21 Jun 2019 10:10 AM (IST)
સ્વાસ્થ્ય વિભાગે ગુરુવારે જણાવ્યુ કે, 1લી જૂનથી રાજ્યમં એક્યૂટ એન્સેફલાઇટિસ સિન્ડ્રૉમ (એઇએસ)ના 626 કેસો નોંધવામાં આવ્યા છે

પટનાઃ બિહારમાં ચિમકી તાવ એટલે કે એક્યૂટ એન્સેફલાઇટિસ સિન્ડ્રૉમ (એઇએસ)ના કારણે અત્યાર સુધી 154 બાળકો મોતને ભેટી ચૂક્યા છે. ચિમકી એક પ્રકારનો મગજનો તાવ છે, જે બાળકોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. માત્ર મુઝફ્ફરપુરમાં 120 બાળકોએ જીવ ગુમાવ્યા છે. 16 જિલ્લામાં એઇએસ ફેલાયો હોવાના રિપોર્ટ મળી રહ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગે ગુરુવારે જણાવ્યુ કે, 1લી જૂનથી રાજ્યમં એક્યૂટ એન્સેફલાઇટિસ સિન્ડ્રૉમ (એઇએસ)ના 626 કેસો નોંધવામાં આવ્યા છે. એઇએસથી 16 જિલ્લા પ્રભાવિત થયા છે. ભાગપુર, પૂર્વી ચંપારણ, વૈશાલી, સીતામઢી અને સમસ્તીપુરમાં સૌથી વધુ બાળકો મૃત્યુ પામ્યા છે.