નવી દિલ્લીઃ બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રીકાંત શર્માએ કહ્યું કે, કિસાનો માટે ફક્ત જૂમલેબાજી જ કરવામાં આવી રહી છે. કૉંગ્રેસની સરકાર વખતે  વાસ્તવમાં તેમની જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું. અને અમારી સરકારને કિસાન વિરોધી કહેવાથી હસ્યસ્પદ બીજી કઇ સ્તુ હોઇ શકે. તેમણે કહ્યું કે, પહેલા તો દેશની જનતાએ કૉંગ્રેસને નક્કારી દીધી છે. અન ઘણા રજ્યોમાંથી પણ કૉંગ્રેસને ઉખાડી ફેકી જનતાએ પોતાનો નર્ણય કરી લીધો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી લોકપ્રિયતા, કેંદ્રની ભારતીય જનતા પાર્ટીના સારા પ્રદર્શન અને કૉંગ્રેસની લગાતાર થતી હારથી હતાશ રાહુલ ગાઁધી નિરાશાનો શિકાર બન્યા છે. રાહુલ ગાંધી અને કૉંગ્રેસ આ વાત નથી સમજી શક્તા. આ પરિસ્થિતિમાં તે એક રાજકિય જવાબદારી કેવી રીતે નિભાવે?

કેંદ્ર સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરતા શર્માએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના નેતૃત્વમાં કેંદ્રની બીજેપીની આગેવાનીમાં રાજ્ય સરકારે ગરીબ અને કિસાનો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓની શરુઆત કરી છે. અને તેનું જ પરિણામ છે કે બીજેપી શાસિત રાજ્યમાં કૃષિ વિકાસ દરની અન્ય રાજ્યોની તુલનાએ ઘણો આગળ છે. એટલું જ નહી વેપારના અનુકૂલ માહોલ પણ બીજેપી શાસિત રાજ્ય અન્ય બીજા રાજ્યમાં ઘણો આગળ છે.