નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં 21 મિનીટ સુધી બૉમ્બમારી કરીને 200 થી 300 જેટલા આતંકીઓને ઠાર માર્યા છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની સંબંધમાં વધુ ખટાશ આવી ગઈ છે. ત્યારે છેલ્લા ઘણાં સમયથી પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતું જોવા મળી રહ્યું છે. જોકે મંગળવારની મોડી રાત્રે ભારતે હુમલો કરીને જૈશનો કંટ્રોલ રૂમ તબાહ કર્યો હતો.


આ મામલે વીરેન્દ્ર સેહવાગે ટ્વિટ કરતાં લખ્યું, ‘બોય્ઝ ખરેખર સારું પ્રદર્શન કર્યું, સુધરી જાવ બાકી સુધારી દઈશું, એર સ્ટ્રાઈક.’


જ્યારે વીરેન્દ્ર સેહવાગના સાથી અને ટીમ ઇન્ડિયાના ઓપનર ગૌતમ ગંભીરે ટ્વિટ કરતાં લખ્યું, ‘જય હિંદ, ઇન્ડિયા એર સ્ટ્રાઈક, ફરી એક વખત એર સ્ટ્રાઈક.’