નવી દિલ્લી: મંગળવારે દિલ્લીમાં ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળશે. આ બેઠક ભાજપ અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં યોજાશે. બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રીનો રાજીનામાનો પત્ર મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સોમવારે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામાંની ઓફર કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા મુખ્યમંત્રીની રેસમાં નીતિન પટેલ અને વિજય રૂપાણી છે. આનંદીબેને વધતી ઉમરને કારણે રાજીનામું આપ્યું છે.