રિલાયન્સની આ કંપનીઓ અનિલ અંબાણી અને નીત રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલી છે. આ કેસ શુક્રવારે દીવાની અને સત્ર ન્યાયાધીશ પી જે તમાકુવાલાની અદાલતમાં કરવામાં આવ્યો છે. તેમણે પ્રતિવાદીઓને નોટિસ જારી કરી સાત સપ્ટેમ્બર સુધી જવાબ માંગ્યો છે. આ કેસમાં કંપનીઓએ આરોપ લગાવ્યો છે કે મોદી દ્વારા રાફેલ ડીલની જાહેરાતના 10 દિવસ પહેલા બનાવી રિલાયન્સ ડિફેન્સ શીર્ષક થી પ્રકાશિત લેખ માનહાનિકારક અને અપમાનજક છે અને આ લોકોનેને એ વાત માનવા માટે ગેરમાર્ગે દોરે છે કે સરકાર તેમને અનુચિત વ્યાપારિક ફાયદો પહોંચાડી રહી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, લેખમાં નકારાત્મક છબિ રજૂ કરવામાં આવી છે અને રિલાયન્સ સમૂહ અને તેના અધ્યક્ષ અનિલ અંબાણીની સાર્વજનિક છબિને નુકસાન પહોંચી છે. અરજીમાં 5000 કરોડ રૂપિયાની ક્ષતિપૂર્તિની માંગ કરતા કહેવામાં આવ્યું છે કે તેનાથી અરજીકરનાનર કંપનીઓની પ્રતિષ્ઠા અને ગુડવિલને નુકસાન પણ થયું છે. આ પહેલા પણ અનિલ અંબાણી નીત રિલાયન્સ સમૂહે કૉંગ્રેસના અનેક નેતાઓને કાનૂની નોટિસ પણ મોકલી હતી.