જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં બોટનિકલ ગાર્ડન પાસે  બુધવારે બપોરે આતંકવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો. આ બ્લાસ્ટમાં એક ટેમ્પો ચાલકનું મોત થયું છે. ઘટનાની જાણકારી થતા જ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિસ્તારની સીલ કરી તપાસ શરૂ કરી હતી.


પોલીસે જણાવ્યું કે જ્યારે ટેમ્પો ચાલકે વાહનનો પાછળનો દરવાજો ખોલ્યો ત્યારે અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.


TRFએ વિસ્ફોટની જવાબદારી લીધી હતી


જમ્મુ અને કાશ્મીર પોલીસનું કહેવું છે કે પ્રથમ દૃષ્ટિએ સ્થળ પરથી કોઈ વિસ્ફોટક અવશેષો મળ્યા નથી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે અત્યાર સુધી આ દુર્ઘટના બની રહી હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ આતંકવાદી જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ વિસ્ફોટની જવાબદારી લીધી છે.


IED બ્લાસ્ટનો દાવો


આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સહયોગી TRFએ નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે શ્રીનગરમાં હુમલાની ચેતવણી પહેલાથી જ આપવામાં આવી હતી. TRFની ફાલ્કન સ્ક્વોડ કેડરએ બોટનિકલ ગાર્ડન વિસ્તારમાં IED બ્લાસ્ટ કર્યો છે. પોતાના મેસેજમાં TRFએ કેટલાક લોકોને ધમકી પણ આપી છે.


આ સિવાય આતંકવાદી સંગઠને કહ્યું છે કે કાશ્મીર એક વિવાદિત વિસ્તાર છે જ્યાં કબજા હેઠળની ફાસીવાદી શાસન બળપૂર્વક સામાન્ય વાતાવરણ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આતંકવાદીઓએ પ્રવાસીઓને ધમકી પણ આપી છે.


આઈજી કાશ્મીરે જણાવ્યું કે આતંકી સંગઠનને આવી ઘટનાઓને પોતાની તરફેણમાં કરવાની આદત છે. એફએસએલની ટીમ અને સ્નીફર ડોગને કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. અમારી ટીમો CCTV ફૂટેજ પણ ચેક કરી રહી છે.અત્યાર સુધી IED બ્લાસ્ટ જેવું કંઈ મળ્યું નથી.


 


વેંકેટેશ અય્યર આ હૉટ એક્ટ્રેસ પર થયો ફિદા, અય્યરે શું કૉમેન્ટ કરી તો બન્ને વચ્ચે અફેરની વાત આવી સામે, જાણો વિગતે


Kisan Credit Card: પશુપાલકો માટે કેટલા કિસાન ક્રેડિટ બનાવાયા ? આ રીતે તમે પણ બનાવી શકો છો


ગરમીમાં હેલ્ધી રહેવા માટે આ ફ્રૂટનું કરો ભરપૂર સેવન, સ્વાસ્થ્યને થશે આ અદભૂત ફાયદા


Rahu Ketu Transit 2022 : 12 એપ્રિલ બાદ આ રાશિના જાતક માટે શરૂ થઇ શકે છે મુશ્કેલી ભર્યો સમય