માહિતી અને પ્રસારણ મંત્રાલયે બે નવેમ્બરના આદેશમાં ન્યૂઝ ચેનલ 'ન્યૂઝ ટાઇમ અસમ' ને પણ એક દિવસ માટે પ્રસારણ બંધ કરવા કહ્યું છે. ચેનલ વિરુદ્ધ આરોપ છે કે, ચેનલે એક કાર્યક્રમનું પ્રસારણ કર્યું જેમા સગીર યુવતીની ઓળખનો જાહેર કરવામાં આવી હતો. જેમા ઘરનું કામ કરતી યુવતીને કામ દરમિયાન તેની સાથે કરવામાં આવતી યાતના દર્શવામાં આવી હતી.
ચેનલ દ્વારા પ્રસારીત દ્રશ્યોમાં બાળકની વ્યક્તિગત અને તેની ગરીમમા સાથે સમજૂતી કરવાની વાતનો અનુભવ કરતા ચેનલને ઓક્ટોબર 2013 માં કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી. ચેનલના પક્ષને સાંભળ્યા બાદ આંતર મંત્રાલયનની સમિતિએ આ મામલાની તપાસ કરી હતી. ચેનલને એક દિવસ માટે 9 નવેમ્બરે બંધ કરવાનું કહેવામાં આવ્યું છે.