જાણાવા મળતી માહિતી મુજબ શનિવારે મંડીથી મવાલી જઇ રહેલી બસ બાઇચક ચાલકને બચાવવા જતા ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવી દિધો હતો. ત્યાર બાદ બસ નદીમાં ખાબકી હતી. બસમાં 50 લોકો સવાર હતા જેમાથી 18 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
આ અંગે હિમાચલ પ્રદેશના પરિવહનમંત્રી જી.એસ બાલીએ જણાવ્યું હતું કે, 28 ઘાયલોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા છે બાલીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને રૂપિયા5 લાખવળતર ચુકવવાની જાહેરાત કરી છે.