દેશમાં સમાન નાગરિક બિલ લાગુ કરવાની માગની વચ્ચે સોશિયલ મીડિયા પર કથિત ભારતીય સેના દ્વારા શરીયત વિરોધી મેસેજવાળા સાઈનબોર્ડની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. સાઈનબોર્ડ પર લખ્યું છે, “તમે શરિયા ફઅરી વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે. મહેરબાની કરીને તમારી ઘડિયાળને 1400 વર્ષ આગળ સેટ કરો”. કેટલાક લોકોએ દાવો કર્યો કે બોર્ડ ભારત-પાક સરહદ પર જોવા મળ્યું છે. જ્યારે ભારત સરકારના સૂચના પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવતા પીઆઈબી ફેક્ટે ચેકે આ અંગે ખુલાસો કર્યો છે.


ફેક્ટે ચેકે ટ્વીટ કરીને કહ્યું કે આ દાવો ખોટો છે. PIB Fact Checkએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘ભારત-પાકિસ્તાન સરહદ પર 'એન્ટિ-શરિયા' સાઇનબોર્ડ લગાવવામાં આવ્યું હોવાનો દાવો કરતી એક તસવીર સોશિયલ મીડિયા પર ફરી રહી છે. #PIBFactCheck: આ તસવીર સાથે છેડછાડ કરવામાં આવી છે. ભારત-પાકિસ્તાન સરહદ પર આવું કોઈ સાઇનબોર્ડ લગાવવામાં આવ્યું નથી.” આ રીતે પીઆઈબીએ સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર ફરતી તસવીરમાં જે દાવો કરવામાં આવ્યો છે તે ખોટો છે.






નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.