Anti Terrorism Day: કેન્દ્ર સરકાર હવે આતંકવાદ વિરોધી દિવસ ઉજવવા જઈ રહી છે. આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા પત્ર મુજબ દર વર્ષે 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પત્ર તમામ રાજ્યના મુખ્ય સચિવો, તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવોને લખવામાં આવ્યો છે.


યુવાનોને જાગૃત કરવામાં આવશે


આ દિવસની ઉજવણીનો હેતુ યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદને ખતમ કરવા માટે કઇ યોજનાઓ ચલાવવામાં આવી છે તે જણાવવામાં આવશે. આ સિવાય તેમને કેવી રીતે તેમની એક ભૂલ રાષ્ટ્રીય સમસ્યા બની શકે છે તે અંગે પણ જણાવાશે. કેન્દ્રનું માનવું છે કે જો યુવાનો સાચા માર્ગ પર આવશે તો આતંકવાદ આપોઆપ ખતમ થઈ જશે.


આતંકવાદ વિરોધી સંકલ્પ લેવડાવવામાં આવશે


પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમામ ઓફિસો, જાહેર વિસ્તારોમાં આતંકવાદ વિરોધી શપથ પણ લેવડાવવામાં આવશે. આ સિવાય ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ આતંકવાદ વિરોધી સંદેશાઓનો પ્રસાર કરી શકાય છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે 21 મેના રોજ શનિવાર હોવાથી કેન્દ્ર સરકારની ઓફિસોમાં રજા રહેશે. આવી સ્થિતિમાં 20 મેના રોજ શપથ લેવડાવવામાં આવી શકે છે. જોકે રાજ્યની સરકારી કચેરીઓમાં અથવા જ્યાં શનિવારની રજા નથી  ત્યાં શપથ 21 મેના રોજ લેવડાવામાં આવશે.


આ પણ વાંચોઃ


Biplab Kumar Deb Resignation: ત્રિપુરાના મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું, ભાજપે બોલાવી ધારાસભ્યોની બેઠક


Aadhaar Card ને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાનો મોદી સરકાર લાવી શકે છે નિયમ, જાણો વિગત


Bank Results: NPA ઘટવાથી SBI ને રેકોર્ડ 9114 કરોડનો ફાયદો, BOB ને પણ થયો ફાયદો


India Bans Exports of Wheat: ઘઉંની વધતી કિંમતો વચ્ચે સરકારે લીધો મોટો ફેંસલો, જાણો વિગત


Monsoon 2022: ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે ચોમાસાને લઈ કરી મોટી આગાહી


Jacinda Ardern tests COVID-19 positive: ન્યૂઝીલેન્ડના પીએમ આવ્યા કોરોનીની ઝપેટમાં, જાણો શું કહ્યું


IPL 2022:  પંજાબ સામે આઉટ થયા બાદ કોહલીએ ભગવાનને કર્યો સવાલ, વાયરલ વીડિયોમાં જુઓ રિએકશન