IPL 2022, RCB : પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 54 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પૂર્વ આરસીબી કેપ્ટન વિરાટ કોહલી 20 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. આઉટ થયા બાદ કોહલીએ આકાશ તરફ જોયું અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. IPL 2022માં કોહલી અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી.






કોહલીએ બનાવ્યા 20 રન 


પ્રથમ બેટિંગ કરતા પંજાબે 210 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં બેંગ્લોરના ખેલાડીઓ માત્ર 155 રન જ બનાવી શક્યા હતા. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ આરસીબી માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન કોહલી 14 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 20 રન બનાવીને આઉટ થયો હતો. આઉટ થયા બાદ કોહલી આકાશ તરફ જોઈને કઈંક બોલતો હોય તેમ નજર પડ્યો. તે ભગવાનને સવાલ કરતો હોય તેમ લાગતું હતું. તેણે આઉટ થયા બાદ ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો.


કોહલી આઈપીએલમાં નથી કરી શક્યો ખાસ દેખાવ


કોહલી હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં પણ ઝીરો પર આઉટ થયો હતો. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 30 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. રાજસ્થાન સામે 9 રન, લખનઉ અને હૈદરાબાદ સામે ઝીરો પર આઉટ થયો હતો. મુંબઈ સામે 48 રન અને દિલ્હી સામે 1 રન બનાવી આઉટ થયો હતો.


આ પણ વાંચોઃ


 RCB vs PBKS: રજત પાટીદારે ફટકારી 102 મીટર લાંબી સિક્સ, મેચ જોવા આવેલા વૃદ્ધના માથા પર વાગ્યો બોલ