Passport: જો તમે પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારે ખૂબ જ સાવધાન રહેવું પડશે. આજે અમે તમને તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. વાસ્તવમાં આવા ઘણા કિસ્સાઓ નોંધાયા છે જેમાં પાસપોર્ટ લેવા જતા યુઝર્સને નુકસાન થયું છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે અને થોડા સમય પહેલા ભારતમાં મેઇન્ટેનન્સના કારણે પાસપોર્ટ સેવા પોર્ટલ બંધ થઈ ગયું હતું. આ સમય દરમિયાન આવી ઘણી ફેક સાઇટ્સ હતી જે ટ્રેન્ડ કરી રહી હતી.


વિદેશ મંત્રાલયે આપી ચેતવણી


કેન્દ્રીય વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે ચેતવણી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે યુઝર્સે નકલી પાસપોર્ટ સાઈટ્સથી સાવધાન રહેવું જોઈએ. આવી ઘણી સાઇટ્સ ઉપલબ્ધ છે જે યુઝર્સને પાસપોર્ટ બનાવવાની સલાહ આપી રહી છે અને તેના બદલામાં ભારે પૈસા વસૂલી રહી છે. આવી સ્થિતિમાં એપોઇન્ટમેન્ટ બુક કરાવતા પહેલા તમારે પ્રોસેસ માટે કોઇ પણ પ્રકારના રૂપિયા આપવાની જરૂર નથી. ઉપરાંત તમારે નકલી સાઇટ્સની પણ ઓળખ કરવી જોઈએ.


તે કેમ ખતરનાક છે?


સવાલ એ થાય છે કે શું આ સાઇટ્સ ખતરનાક સાબિત થાય છે? આ એટલા માટે પણ છે કારણ કે તેઓ યુઝર્સ પાસેથી ઘણી બધી પર્સનલ માહિતી મેળવી લે છે જે તેમના માટે ખૂબ જોખમી સાબિત થાય છે. પાસપોર્ટ બનાવવા માટે યુઝર્સ પાસેથી વધુ પૈસા પણ લેવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે પાસપોર્ટ બનાવતી વખતે ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. માહિતી લેતા સમયે તમારી પાસેથી મંજૂરી લેવામાં આવી રહી છે કે તેઓ તમારી પર્સનલ જાણકારી નોંધી રહ્યા છે.


પાસપોર્ટ મેળવવા માટે તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડશે. આમાં તમે ઘરે બેઠા બુક કરી શકો છો. પરંતુ તે પહેલા તમારે ઓનલાઈન જઈને બધી માહિતી આપવી પડશે. આ ખૂબ જ જરૂરી છે. એકવાર એપ્રુવ થયા પછી પાસપોર્ટ સીધો તમારા ઘરે આવે છે.                                 


પંજાબ નેશનલ બેન્કના ખાતાધારકો ધ્યાન આપે!, બચત ખાતાથી લઇને લોકર સુધીના બદલ્યા નિયમો