Article 370 Verdict: 'ભારતના બંધારણથી ચાલશે જમ્મુ કાશ્મીર, કલમ 370 હટાવવાનો નિર્ણય એકદમ યોગ્ય': સુપ્રીમ કોર્ટ

Article 370 Verdict LIVE:આજે સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચ આ અંગે પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે

gujarati.abplive.com Last Updated: 11 Dec 2023 11:44 AM
Article 370 Verdict Live: કલમ 370 હટાવવાનો નિર્ણય બંધારણીય રીતે માન્ય

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય બંધારણીય રીતે માન્ય છે. આ રીતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય એકદમ યોગ્ય હતો.













Article 370 SC Verdict Live: કલમ 370 દૂર કરવાના ફાયદા ગણાવ્યા

ચીફ જસ્ટિસે કહ્યું કે રાષ્ટ્રપતિ માટે એ જરૂરી નહોતું કે તે જમ્મુ-કાશ્મીરની બંધારણ સભાની ભલામણ પછી જ કલમ 370 પર કોઈ આદેશ આપે. કલમ 370 ને હટાવી નવી વ્યવસ્થાએ જમ્મુ અને કાશ્મીરને બાકીના ભારત સાથે જોડવાની પ્રક્રિયાને મજબૂત બનાવી છે.









Jammu Kashmir Article 370: યુદ્ધની સ્થિતિને કારણે કલમ 370 એક વચગાળાની વ્યવસ્થા હતી.

કલમ 370 પર નિર્ણય વાંચતા ચીફ જસ્ટિસે કહ્યું હતું કે રાજ્યમાં યુદ્ધની સ્થિતિને કારણે કલમ 370 એક વચગાળાની વ્યવસ્થા હતી. કલમ 370(3) હેઠળ, રાષ્ટ્રપતિ પાસે એક સૂચના જાહેર કરવાની સત્તા છે કે કલમ 370 અસ્તિત્વમાં નથી અને કલમ 370 જમ્મુ અને કાશ્મીર બંધારણ સભાના ભંગ થયા બાદ પણ અસ્તિત્વમાં રહેશે. બંધારણ સભાની ભલામણ રાષ્ટ્રપતિને બંધનકર્તા ન હતી. 









Article 370 Verdict: કલમ 370 એક અસ્થાયી વ્યવસ્થા

મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે જ્યારે રાજા હરિ સિંહે ભારત સાથે વિલીનીકરણ કરાર પર હસ્તાક્ષર કર્યા ત્યારે જમ્મુ-કાશ્મીરની સાર્વભૌમત્વ સમાપ્ત થયુ હતું. તે ભારત હેઠળ આવી ગયું. તે સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારતનું બંધારણ જમ્મુ અને કાશ્મીરના બંધારણ કરતાં ઉંચુ છે. કલમ 370 એક અસ્થાયી વ્યવસ્થા છે.









Jammu Kashmir Article 370: જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન પર ચીફ જસ્ટિસે શું કહ્યું?

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે અમે તે સમયગાળા દરમિયાન રાજ્યમાં લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસન અંગે કોઈ નિર્ણય લીધો નથી. પરિસ્થિતિ અનુસાર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે. રાષ્ટ્રપતિ પાસે કલમ 356 હેઠળ સત્તા છે. તેને પડકારી શકાય નહીં. બંધારણીય સ્થિતિ એ છે કે તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. કલમ 356 - રાજ્ય સરકાર ભંગ કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવાની વાત કરે છે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્ય સરકારની જગ્યાએ કેન્દ્ર નિર્ણય લઈ શકે છે. રાજ્ય વિધાનસભાની જગ્યાએ સંસદ કાર્ય કરી શકે છે.

Article 370 SC Verdict Live: ત્રણ જજમેન્ટ પર તમામ એકમત 

સર્વોચ્ચ અદાલત તરફથી જે ત્રણ નિર્ણયો પર ચુકાદો આવશે તેના પર તમામ એકમત છે. કલમ 370 કાયમી હોવી જોઈએ કે નહીં, તેને હટાવવાની પ્રક્રિયા યોગ્ય છે કે ખોટી અને રાજ્યને બે ભાગમાં વહેંચવું યોગ્ય છે કે ખોટું, આ મુખ્ય પ્રશ્નો છે જેના પર ચુકાદો આપવામાં આવશે.

















ભાજપે લોકોને આ અપીલ કરી છે

ભાજપના જમ્મુ અને કાશ્મીર એકમના વડા રવિન્દ્ર રૈનાએ કહ્યું કે બંધારણની કલમ 370 નાબૂદને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ અથવા તેના નિર્ણય પર કોઈ રાજકારણ ન હોવું જોઈએ અને તેના નિર્ણયનું સમગ્ર દેશ દ્ધારા સન્માન કરવું જોઈએ.


 

બ્રેકગ્રાઉન્ડ

Article 370 Verdict LIVE: આજે કલમ 370 હટાવ્યાના ચાર વર્ષ પછી પણ જમ્મુ-કાશ્મીરને લઇને સવાલ અટક્યા નથી. 2019માં કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરીને જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યના દરજ્જામાંથી હટાવી દીધું હતું. આ સાથે જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. 5 સપ્ટેમ્બરે સુનાવણી પૂર્ણ થઈ હતી. આજે સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચ આ અંગે પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. 2019માં કેન્દ્રનો નિર્ણય યોગ્ય હતો કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે.


બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગેના નિર્ણય પહેલા જ ઘાટીમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. બે દિવસ પહેલા જ પોલીસે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા દળોની તૈનાતી વધારી દીધી છે. રસ્તાઓથી લઈને ઈન્ટરનેટ સુધી કડક તકેદારી રાખવામાં આવી રહી છે. ભડકાઉ પોસ્ટ કરનારા પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીર પોલીસ પર તાનાશાહીનો આરોપ લગાવ્યો છે.


આવી સ્થિતિમાં ઘાટીમાં વાતાવરણ બગડે નહીં તે માટે જમ્મુ-કાશ્મીર પોલીસ સંપૂર્ણ રીતે સતર્ક છે. કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય. પોલીસે સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે ઝુંબેશ શરૂ કરી છે. છેલ્લા બે દિવસમાં પાંચ લોકો સામે 'દ્વેષપૂર્ણ સામગ્રી' અપલોડ કરવા અને અફવાઓ ફેલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.


ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં અફવા ફેલાવનાર એક વ્યક્તિ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. મધ્ય કાશ્મીરના બડગામ અને ગાંદરબાલ જિલ્લામાં બે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે બારામુલા પોલીસે 'અફવા ફેલાવનારાઓ' વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને કથિત 'ઉશ્કેરણી કરનાર' વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પોલીસ કોઈ જોખમ લઈ રહી નથી અને સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી રહી છે.


આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે


હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, પ્રવક્તાએ કહ્યું, 'બારામુલ્લા પોલીસે બારામુલ્લા જિલ્લાના વાની મોહલ્લા બલિહારન પટ્ટનના રહેવાસી અલી મોહમ્મદ વાનીના પુત્ર બિલાલ અહેમદ વાની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ભડકાઉ અને દેશદ્રોહી નિવેદનો ધરાવતા વીડિયો અપલોડ કરવાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે તે જ રીતે બડગામ પોલીસે અફવા ફેલાવનારા બે લોકો સામે કાર્યવાહી કરી હતી.


ગાંદેરબાલ જિલ્લામાં પોલીસે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નફરતની સામગ્રી અપલોડ કરવા અને શેર કરવા બદલ બે લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયાના દુરુપયોગથી સાવચેત રહેવા અપીલ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વાતાવરણને બગાડવાનો અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના કોઈપણ પ્રયાસને ગંભીરતાથી લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.