જેટલીનો કેજરીવાલ ઉપર ગંભીર આરોપ- સરકારી ફંડથી કરે છે મીડિયા મેનેજ
abpasmita.in | 18 Jun 2016 08:58 AM (IST)
નવી દિલ્હી: નાણા મંત્રી અરૂણ જેટલીએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ ઉપર જાહેરાતોના ફંડનો ઉપયોગ મીડિયાને મેનેજ કરવાનો આરોપ લગાવ્યો છે. જેટલીએ એક ટીવી ઈંટરવ્યૂમાં કહ્યું છે કે, દિલ્હી સરકાર ‘દોસ્તાના સંબંધ’ વાળી ચેનલો અને અખબારોને જાહેરાતો આપે છે, ટિકા કરનાર મીડિયા હાઉસને નહીં. જેટલીએ ભારતમાં વોંટેડ વિજય માલ્યાને સુરક્ષિત આશરો આપવા માટે બ્રિટિશ સરકારને પણ આડા હાથે લીધી હતી. તેમને કહ્યું હતું કે, બ્રિટેનમાં હાલની પરિસ્થિતિ એવી છે કે જો તમે એક કાયદાકીય પાસપોર્ટ લઈને ત્યાં પહોંચો તો તે લોકો દેશથી તમને કાઢશે નહીં. આપણે વિજય માલ્યાને પાછા લાવવા માટે પ્રત્યાર્પણ સંધિનો ઉપયોગ કરવો પડશે. આ મામલે બ્રિટેન બહુ ધીમું કામ કરે છે. જેટલીએ કહ્યું છે કે, મને આશા છે કે, બ્રિટિશ સરકાર એવું સમજે કે એક દેશમાંથી ભાગેલા વ્યક્તિને બીજા દેશમાં આશરો ન મળે. આ સભ્યતા નથી. સાર્વજનિક જીવનમાં બ્રિટેનની સભ્યતાનું સ્તર ઘણું ઉંચું છે.