Arvind Kejriwal News: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે (27 સપ્ટેમ્બર) દિલ્હી વિધાનસભાને સંબોધિત કરી. તેમણે તપાસ એજન્સીઓના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે શું BJPને શરમ આવે છે. અજિત પવારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેને જ રાજ્યના ડેપ્યુટી CM બનાવી દે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આવા 25 'નગીના' PM નરેન્દ્ર મોદીના નગીના છે.


કેજરીવાલે કહ્યું, "મેં ચાર પાંચ દિવસ પહેલા મોહન ભાગવતને પત્ર લખ્યો હતો. તે પત્રમાં તેમની સાથે પાંચ મુદ્દાઓ પર વાત કરી હતી. આમાં એક મુદ્દો એ પણ હતો કે જે રીતે વડાપ્રધાન મોદી આ દેશના સૌથી ભ્રષ્ટ નેતાઓને ED અને CBIથી ડરાવીને અથવા પૈસાનો લોભ આપીને બીજી પાર્ટીમાંથી તોડીને પોતાની પાર્ટીમાં સામેલ કરી રહ્યા છે, શું તેઓ (મોહન ભાગવત) તેમની સાથે સહમત છે."


આગળ તેમણે કહ્યું, "27 જૂન 2023ના રોજ વડાપ્રધાને કહ્યું કે અજિત પવાર પર 70 હજાર કરોડના કૌભાંડનો આરોપ છે. અમે તેમને જેલમાં મોકલીશું. પાંચ દિવસ પછી 2 જુલાઈએ તેમને પોતાની સરકારમાં સામેલ કરાવ્યા અને તેમને ઉપમુખ્યમંત્રી બનાવી દીધા. હું તેમને (BJP) પૂછવા માંગુ છું કે કંઈ શરમ આવે છે... શું મોઢું બતાવો છો જ્યારે તમે તમારી ગલીમાં અને તમારા ઘરે જાઓ છો."






પૂર્વ મુખ્યમંત્રીએ આગળ કહ્યું, "22 જુલાઈ 2015ના રોજ BJP કહે છે કે હિમંતા બિસ્વા સરમા ખૂબ મોટા ભ્રષ્ટાચારી છે. એક મહિના પછી 23 ઓગસ્ટ 2015ના રોજ તેમને પોતાની પાર્ટીમાં સામેલ કરી લે છે."


આ સાથે કેજરીવાલે કહ્યું, "NCP નેતા પ્રફુલ્લ પટેલ પર CBI અને EDનો કેસ હતો, PM મોદીએ બંધ કરાવી દીધા. પ્રતાપ સરનાઈક પર EDનો કેસ હતો, EOWનો કેસ હતો, બંને બંધ કરાવી દીધા. હસન મુશ્રીફ પર EDનો કેસ હતો, તે પણ નબળો પાડી દીધો. ભાવના ગવાલી પર EDનો કેસ હતો. યશવંત જાધવ પર EDનો કેસ હતો. CM રમેશ, રવિન્દર સિંહ, સંજય સેઠ, સુવેન્દુ અધિકારી, કે ગીતા, છગન ભુજબલ, કૃપા શંકર સિંહ, દિગંબર કામત, અશોક ચૌહાન, નવીન જિંદલ, તપસ રે, અર્ચના પાટિલ, ગીતા કોડા, બાબા સિદ્દિકી, જ્યોતિ મિંડા, સુજાના ચૌધરી... આ તેમની ઈમાનદારી છે. શરમ નથી આવતી લાલ કિલ્લા પરથી ઊભા રહીને દેશને મૂર્ખ બનાવે છે."


આ પણ વાંચોઃ


Gujarat Weather: આગામી ત્રણ દિવસમાં આ વરસાદ વધુ ઘાતક બનશેઃ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી