જોધપુરઃ સગીરા સાથે યૌન શોષણના મામલે જોધપુરની સેન્ટ્રલ જેલમાં બંધ આસારામની તબિયત ખરાબ થતાં તેમને સારવાર માટે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અહેવાલ બહાર આવતા હોસ્પિટલ બહાર આસારામના સમર્થકોની ભીડ એકઠી થવા લાગી હતી.


સેન્ટ્રલ જેલ વહીવટીતંત્રએ આ સંબંધમાં જાણકારી આપી હતી કે, આસારામને સાઇટિકાની સમસ્યા છે અને તેને કારણે તેઓને કેટલાક દિવસોથી નબળાઇ અનુભવાતી હતી. બીમારીને કારણે આસારામને ચાલવામાં તકલીફ પડી રહી હતી. આસારામે દાંતોમાં પણ દર્દની ફરિયાદ કરી હતી. નોંધનીય છે કે આસારામને અનેક બીમારીઓ છે. છેલ્લા દિવસોમાં આસારામે પોતાની બીમારીઓને ગંભીર ગણાવતા જીવ જવાનો ડર વ્યક્ત કર્યો હતો.