નવી દિલ્હી: જાણતી સાયકલ કંપની એટલસના માલિક સંજય કપૂરના પત્ની નતાશા કપૂરનું શંકાસ્પદ સ્થિતિમાં પોત થયું છે. દિલ્હીની ઓરંગઝેબ લેન સ્થિત ઘરમાં 57 વર્ષીય નતાશા કપૂરનો મૃતદેહ પંખા પર લટકેલી અવસ્થામાં મળ્યો હતો. દિલ્હી પોલીસે પ્રાથમિતક તપાસમાં તેને આત્મહત્યા ગણાવી છે પરંતુ રુમનો દરવાજો ખુલ્લો હોવાના કારણે પોલીસે તેને શંકાના આધારે શંકાસ્પદ માનીને અલગ અલગ એંગલની તપાસ શરૂ કરી છે.


પોલીસના જણાવ્યા અનુસાર સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં લખ્યું છે કે તે પોતાની જિંદગીથી ખુશ ન હોવાનો ઉલ્લેખ કર્યો છે. અધિકારીઓ આર્થિક તંગીને પણ આત્મહત્યાનું કારણ માનીને તપાસ કરી રહ્યા છે. તુગલક રોડ થાણા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.