બીજી તરફ તેમણે રાજ્યપાલનાં અભિભાષણ અને બજેટ રજૂ કરતી વખતે વિધાનસભામાં બહુમતી પૂરવાર કરવા ફ્લોર ટેસ્ટ યોજવાની પણ રાજ્યપાલ સમક્ષ તૈયારી દર્શાવી હતી. ભાજપે પણ કમલનાથ સામે મોરચો ખોલ્યો હતો અને 16મીએ વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલાં ફ્લોર ટેસ્ટ યોજવા માંગણી કરી હતી.
મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણે આરોપ લગાવ્યો હતો કે, શુક્રવારે સાંજે ભોપાલના કમલા પાર્કમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કારને ઘેરી લેવામાં આવી હતી ત્યાર બાદ કાળા ઝંડા દર્શાવવામાં આવ્યા હતા. તેમના વિરોધમાં કોંગ્રેસીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.
ભાજપ નેતાઓએ કહ્યું હતું કે, કલમનાથ સરકાર લઘુમતીમાં હોવાથી વિધાનસભામાં બજેટ રજૂ કરી શકે નહીં કે રાજ્યપાલનું અભિભાષણ યોજી શકે નહીં. આ પહેલા તેણે વિધાનસભામાં બહુમતી પૂરવાર કરવી પડે.