હુમલાની તપાસ કરી રહેલી ટીમે આ મામલે પાંચ આતંકીઓની ધરપકડ કરી હતી. જેમાં દિલ્લીના સાકેતનગરમાં દવાખાનું ચલાવનાર સહારનપુરનો ડૉ. ઇરફાન માસ્ટર માઈન્ડ હતો. જ્યારે અન્ય ચાર લોકો જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના મેન્ડર વિસ્તારના રહેવાસી છે. લશ્કર-એ-તૈયબાએ આ હુમલો બાબરી મસ્જિદની ઘટનાનો બદલો લેવા માટે કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005માં 5મી જુલાઈએ અયોધ્યાની રામ જન્મભૂમિ પરિસરમાં આ આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં પાંચ આતંકવાદી અને એક ટુરિસ્ટ ગાઈડ સહિત સાત લોકો માર્યા ગયા હતા. જ્યારે સીઆરપીએફ તથા પીએસીના સાત જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.