Bhagwant Mann Bride Gurpreet: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ચંદીગઢમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક છે કે તેની ભાવિ પત્ની કોણ છે, તે શું કરે છે અને તે ક્યાં રહેવાની છે. ભગવંત માન આ સમયે 48 વર્ષના છે અને 6 વર્ષ પહેલા તેમના છૂટાછેડા પણ થઈ ચૂક્યા છે. આ તેના બીજા લગ્ન છે. તલાક બાદ તેની પ્રથમ પત્ની બાળકો સાથે અમેરિકામાં રહે છે. ભગવંત માનને તેમના પહેલા લગ્નથી બે બાળકો પણ છે.

Continues below advertisement


આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ભગવંત માનના લગ્નમાં હાજરી આપવાના છે. આ સિવાય આ લગ્નમાં ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ લગ્નનું આયોજન મુખ્યમંત્રી આવાસ પર જ કરવામાં આવશે. આ લગ્નમાં અરવિંદ કેજરીવાલની સાથે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ પરિવાર સાથે ચંદીગઢ પહોંચશે.


પરિવાર એકબીજાને ઓળખે છે


ભગવંત માનની પત્ની ગુરપ્રીત કૌર તેમના પરિવારની ખૂબ જ નજીક છે. આ લોકો પહેલેથી જ એકબીજાને ઓળખે છે. ભગવંત માનની માતા પણ ગુરપ્રીત કૌરને પસંદ કરે છે. જો આપણે ગુરપ્રીત કૌરની વાત કરીએ તો તે તેના પરિવારમાં સૌથી નાની છે. તેની એક બહેન ઓસ્ટ્રેલિયામાં અને બીજી બહેન અમેરિકામાં રહે છે. ગુરપ્રીતે મેડીસીનનો અભ્યાસ કર્યો છે.


કોણ છે ગુરપ્રીત કૌર અને શું કરે છે?


ગુરપ્રીત કૌર 32 વર્ષની છે અને તે કુરુક્ષેત્ર જિલ્લાના પેહોવાની વતની છે.


તેના પિતા ખેડૂત છે અને માતા ગૃહિણી છે.


ગુરપ્રીતની વધુ બે બહેનો છે જે વિદેશમાં રહે છે.


ગુરપ્રીતને અભ્યાસમાં ખૂબ જ રસ છે અને તેણે મેડીસીનનો અભ્યાસ કર્યો છે.


તેણે હરિયાણાની મૌલાના મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે.


એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ગુરપ્રીતે ભગવંત માનની ઘણી મદદ કરી હતી.