નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા એકવાર ફરીથી મોદી સરકાર વિરુદ્ધ કેટલાય સમાજના લોકો રસ્તાંઓ પર આવી ગયા છે. 13 પૉઇન્ટ રૉસ્ટરની જગ્યાએ 200 પૉઇન્ટ રૉસ્ટર લાગુ કરવાની માંગ કેટલાય લોકો કરી રહ્યાં છે, આના વિરોધમાં આજે કેટલાક સંગઠનોએ ‘ભારત બંધ’નું એલાન આપ્યુ છે. દલિત સંગઠનો ઉપરાંત આદિવાસીઓએ જંગલમાંથી તેમને બહાર કરવાના વિરોધમાં બંધ પાળ્યુ છે.


ભારત બંધની અસર દેખાવવાની શરૂ થઇ ગઇ છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મંગળવારે સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ અલ્હાબાદથી લખનઉ જનારી ગંગા ગોમતી એક્સપ્રેસ ટ્રેનને રોકી દીધી છે.



આ ટ્રેન શહેરના બૈરહના વિસ્તારમાં રોકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લખનઉમાં કામ કરનારા કેટલાય મજૂરો આ ટ્રેનનો ઉપયોગ કરે છે.