Bihar Election 2020 Exit Poll Results:  બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું હતું. હવે સૌની નજર 10 નવેમ્બરે જાહેર થનારા પરિણામ પર છે. આ પહેલા એબીપી-સી વોટર એક્ઝિટ પોલ કર્યો હતો.


એબીપી-સી વોટરના એક્ઝિટ પોલમાં એનડીએને 104-128 સીટ મળી રહી છે અને મહાગઠબંધનને 108-131 પર જીતનો અંદાજ છે. આ ઉપરાંત ચિરાગ પાસવાની એલજીપીને માત્ર 1-3 સીટ પર જીત મળી રહી હોવાનું લાગી રહ્યું છે. એક્ઝિટ પોલ મુજબ નીતીશ કુમારને 37.7 ટકા વોટ મળ્યા છે, જ્યારે લાલુની પાર્ટીને 36 ટકા જેટલા વોટ મળ્યા છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધને 178 સીટ જીતી હતી અને એનડીએના ખાતામાં માત્ર 58 સીટ આવી હતી. 2015માં મહાગઠબંધન તરફથી નીતીશકુમાર સીએમ બન્યા હતા, કારણકે તે સમયે જેડીયુ-આરજેડી અને કોંગ્રેસનું ગઠબંધન હતું, 2017માં નીતીશ કુમાર મહાગઠબંધનથી અલગ થઈને એનડીએમાં ભળી ગયા હતા અને સીએમ પદ પર રહ્યા હતા.

243 સભ્યોની બિહાર વિધાનસભામાં આશરે 7.30 કરોડ વોટર્સે આ વખતે સરકાર પસંદ કરવાનો મોકો મળ્યો હતો. તેમાંથી 78 લાખ મતદાતા પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા.