Grand Alliance signs of Break : બિહારના રાજનીતિમાં ફરી એકવાર સળવળાટ શરૂ થયો હોવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. મહાગઠબંધનનું ધબો નમાય થઈ શકે તેવી સ્થિતિ ધીમે ધીમે સર્જાઈ રહી છે. JDU સંસદીય બોર્ડના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ સુધાકર સિંહના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. તો બીજી તરફ સુધાકર સિંહ પણ નીતિશ કુમારને લઈને સતત વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. ઉપેન્દ્ર કુશવાહાએ પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરવા પર પ્રહારો કર્યા છે. એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ઉપેન્દ્ર કુશવાહાએ મોટું નિવેદન આપતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા


સુધાકર સિંહના નિવેદનો અંગે ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, નીતિશ કુમાર માટે રાજકારણમાં કે બિનરાજકીય ક્ષેત્રમાં ગઠબંધન, રાજકીય પક્ષ કે અન્ય કોઈ માટે પણ આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેની ક્યાંય મંજૂરી ના આપીશકાય. માત્ર મહાગઠબંધન માટે જ નહીં આવનારી પેઢી પણ શ્રાપ આપશે કે રાજકારણમાં એવા કેવા લોકો હતા જેમણે જે પ્રકારનું નિવેદન આપ્યું તે પણ તેના માટે જેના પર બિહારની જનતાના આશીર્વાદ છે. જેમને બિહારની જનતાએ સૌથી વધુ વખત મુખ્યમંત્રી બનવાની તક આપી છે.


ઉપેન્દ્ર કુશવાહાએ તિરાડના સવાલ પર કહ્યું


સુધાકર સિંહ દ્વારા આપવામાં આવેલા આ પ્રકારના નિવેદન પર મહાગઠબંધનમાં તિરાડ પડશે કે કેમ તેને લઈને સવાલ ઉભા થયા છે. આ મામલે ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, તિરાડ પડે કે ના પડે તેની ચિંતા કરતા એવી બાબતો પર પ્રતિક્રિયા આપવી જોઈએ, તો એવું લાગે છે કે કોઈએ કોઈની આંતરિક આત્માને દબાવી દીધી છે. મને ખબર નથી કે તેનું શું પરિણામ આવશે. ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, હું સુધાકર સિંહના નિવેદનથી દુ:ખી છું, પરંતુ તેના કરતાં પણ મારું મન ત્યારે વધુ દુઃખી થયું જ્યારે RJD તરફથી તેમના બચાવમાં એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું જેમાં કહેવામાં આવ્યું કે, આ તેમની તેમની અંગત બાબત છે. અંગત અભિપ્રાય. જે ખરેખર વધુ દુઃખદ હતું.


જે રીતે સુધાકર સિંહ નીતિશ કુમાર વિશે બોલી રહ્યા છે તેને લઈને કંઈક એવું તો નથી ને કે આ તેમના પિતા જગદાનંદ સિંહનો અભિપ્રાય હોય? આ અંગે ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, આ કોનો અભિપ્રાય છે અને કોનો નહીં તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ જ્યાં સુધી મારી પોતાની સમજની વાત છે ત્યાં સુધી સુધાકર સિંહ જે કંઈ પણ કહી રહ્યા છે અને પક્ષ તરફથી જે રક્ષણાત્મક પ્રતિક્રિયા આવી રહી છે તે પરથી લાગે છે કે બંનેની સ્ક્રિપ્ટ જ છે અને તે એક જગ્યાએ તૈયાર કરવામાં આવી રહી છે.


ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, તેજસ્વી યાદવ આરજેડીના સૌથી મોટા નેતા છે. લાલુ યાદવ બીમાર છે. તેજસ્વીને બોલવાનો અધિકાર છે, તેથી અમે તેને જોવા કહ્યું. નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે. પાર્ટીએ આ અંગે સંજ્ઞાન લેવું જોઈએ. નીતિશ કુમાર મારા મોટા ભાઈ જેવા છે. તેમના વિશે કોઈ ટિપ્પણી કરે તે હું સહન કરી શકતો નથી. પરંતુ સુધાકર સિંહે જે કહ્યું તે અપશબ્દો બરાબર છે. કોઈ અપશબ્દો બોલે અને પાર્ટીના નેતા કહે કે તે તેમની અંગત બાબત છે. આ અંગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.