આ ગરમાગરમીની વચ્ચે આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતા દિવાકર રાઉતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે અલગ અલગ મુલાકાત કરશે. પરંતુ આ મામલે રાજભવનનું કહેવુ છે કે, આ શિષ્ટાચાર મુલાકાત છે.
રાઉતે પણ આને શિષ્ટાચાર મુલાકાત ગણાવી છે. તેમને કહ્યું કે, હું 1993થી રાજ્યપાલને દિવાળીની શુભકામના આપતો રહુ છુ, આને કોઇ રાજકીય ના સમજે, હવે મારા પછી કોણ આવી રહ્યું છે તે મને ન હતી ખબર.
શું છે બેઠકોનુ ગણિત....
બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. આ ચૂંટણીમાં બીજેપી-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.