ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે, અત્યાર સુધી ભાજપ રામ મંદિર કેમ બનાવી શકી નથી. જો કેસ અદાલત પાસે જ જવાનો હોય તો ચૂંટણી પ્રચાર દરમિયાન તેનો ઉપયોગ ના કરે અને જણાવી દો કે ભાઇઓ અને બહેનો અમને માફ કરો આ પણ અમારો એક ચૂંટણી જુમલો હતો. હિંદુઓ અને તેમની ભાવનાઓ સાથે રમત ના રમો, હું એ જ કહેવા આવ્યો છું. શિવસેનાના વડાએ કહ્યું કે, મેં સાંભળ્યું હતું કે, મુખ્યમંત્રી યોગીજીએ કહ્યું હતું કે, મંદિર હતું, છે અને રહેશે. આ તો અમારી ધારણા છે, અમારી ભાવના છે. દુખની વાત એ છે કે તે દેખાઇ રહ્યું નથી. તે મંદિર ક્યારે દેખાશે. બહુ જલદી તેનું નિર્માણ શરૂ થવું જોઇએ.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, વારંવાર કહેવામાં આવે છે કે મંદિર ત્યાં બનાવીશું પરંતુ ક્યારે બનાવીશું. હિંદુ ના માર ખાશે , ના ચૂપ બેસી રહેશે. હિંદુઓની ભાવનાઓ સાથે છેડછાડ કરવા દઇશું નહીં. કાલે મને સાધુ સંતોએ આશિર્વાદ આપ્યા. મે તેમને કહ્યું છે કે અમે જે કાર્ય કરવા જઇ રહ્યા છે તે તમારા લોકો વિના પુરુ થઇ શકે નહીં. અયોધ્યા આવવા પાછળ મારો કોઇ છૂપો એજન્ડા નથી.