નવી દિલ્લી: પોતાના નિવેદનોને લઈને હંમેશાં ચર્ચામાં રહેનાર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કેંદ્રીય મંત્રી અને બીજેપી સાંસદ મહેશ શર્માને સલાહ આપી છે. શર્માએ કહ્યું કે કેજરીવાલને કંઈક કહેવા પહેલા જાણકારી આપી દેવી જોઈએ.


નોટબંધીને લઈને કેજરીવાલ સતત મોદી અને બીજેપી પર હુમલો કરી રહ્યા છે. હવે કેજરીવાલને જાણવા મળ્યું છે કે બીજેપી નેતા મહેશ શર્માના ઘરમાં લગ્ન હતા તો તેને ટ્વિટ કરી તરત સવાલ પૂછ્યો કે ભાજપા સાંસદ મહેશ શર્માની પુત્રીના લગ્ન છે. શું તમામ પેમેંટ ચેકથી કરી રહ્યા છો? શું અઢી લાખ રૂપિયામાં લગ્ન કરી રહ્યા છો? તેમની નોટ કેવી પીતે બદલાઈ ગઈ?

તેના જવાબમાં મોદીના મંત્રીએ કહ્યું કે, હા તમામ પેમેંટ ચેકથી કરવામાં આવી રહ્યું છે અને મારી પુત્રીના નહીં પરંતુ પુત્રના લગ્ન છે. સાંસદે કેજરીવાલને સલાહ આપી કે કેજરીવાલને કોઈ ટિપ્પણી કર્યા પહેલા જાણકારી મેળવી લેવી જોઈએ.