ચોથી યાત્રા સોનભદ્રથી 9 નવેમ્બરે નિકળશે અને ગૃહમંત્રી રાજનાથ સિંહ તેને લીલી ઝંડી દેખાડશે. આ યાત્રાઓની વચ્ચે પાર્ટીના મોટા નેતા સંબોધિત કરશે. આ યાત્રાઓ રાજ્યની તમામ વિધાનસભા સીટોમાં ફરશે. ચારેય યાત્રાઓનું સમાપન 25 ડિસેમ્બરે અટલ બિહારી બાજપેયીના જન્મદિવસે લખનઉમાં થશે. એવું કહેવાય છે કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ત્યારે એક મોટી રેલીને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી મોદી આ મહિનાની 24 તારીખે મહોબામાં કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત કરશે અને ત્યાંથી એક જનસભાને પણ સંબોધિત કરશે. બીજેપીની યોજના છે કે પ્રધાનમંત્રી દર મહીને યૂપીનો વધારેમાં વધારે પ્રવાસ કરે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી દશેરાના દિવસે લખનઉ ગયા હતા.