નવી દિલ્લીઃ POKમાં ભારતીય સેનાની સર્જીકલ સ્ટ્રાઇક પર નિવેદનબાજી સતત ચાલુ છે. કૉંગ્રેસના નેતા અને પૂર્વ રક્ષામંત્રી એ.કે એંટનીએ મનોહર પારિકરના  નિવેદને દુઃખદ ગણાવ્યું હતું. જેમા કહેવામાં આવ્યું હતું કે, સર્જીકલ સ્ટ્રાઇક 30 વર્ષનો બોઝ છે.


તેમણે ગુરુવારે રક્ષામંત્રીના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે સેના અને દેશનું અપમાન કર્યું છે. પારિકરે કૉંગ્રેસના નિવેદનનો ઇન્કાર કરતા જણાવ્યું હતું કે, કૉંગ્રેસ શાસન દરમિયાન સર્જીકલ સ્ટ્રાઇક થયા હતા.