Breaking News Live: અમિત શાહ-જેપી નડ્ડા આજે પીએમ મોદીને મળશે, રાબડી દેવીનો મોટો આરોપ, કહ્યું- ભાજપ કરાવે છે તોફાનો

Breaking News Live Updates 5th April' 23: ભારત અને વિદેશના સમાચાર સૌપ્રથમ જાણવા માટે અહીં બ્રેકિંગ ન્યૂઝ લાઈવ બ્લોગમાં અમારી સાથે રહો.

gujarati.abplive.com Last Updated: 05 Apr 2023 03:20 PM
Banaskantha: BSF જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપ્યો, જાણો વિગત

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાંથી BSF જવાનોએ એક પાકિસ્તાન ઘૂસણખોરને પકડ્યો છે. પાકિસ્તાની ઘૂસણખોરની ઓળખ દયારામ તરીકે કરવામાં આવી છે. 04 એપ્રિલ 2023 ના રોજ દયારામ પકડાયો હતો. બનાસકાંઠા જિલ્લાના નડેશ્વરી ખાતેથી આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બેરિકેડ ઓળંગતો  હતો ત્યારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો.


થોડા દિવસો પહેલા સિરક્રીક વિસ્તારમાંથી સીમા સુરક્ષ દળે એક પાકિસ્તાની બોટ સાથે ત્રણ ઘૂસણખોરોને ઝડપાયા હતા જો કે આ બોટમાંથી કોઈ જ સંદિગ્ય સામાન મળ્યો નથી અને ઝડપાયેલા માછીમારો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અંગે ગુજરાત ફ્રન્ટીયર સીમા સુરક્ષા દળના જનસંપર્ક અધિકારીએ જાહેર કરેલી વિગતો મુજબ સીમા સુરક્ષા દળના જવાનો ફાસ્ટ બોટ મારફત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સિરક્રીક વિસ્તારમાં ભારતીય હદમાં એક પાકિસ્તાની બોટની હિલચાલ નજરે ચડી હતી. આથી સીમાદળના જવાનોએ ફાસ્ટબોટને દોડાવી ઘૂસેલી બોટને ઘેરી લીધી હતી. ઝડપાયેલી આ પાકિસ્તાની બોટની તલાશી લેતાં તેમાંથી કોઈ સંદિગ્ધ સામાન મળ્યો નહતો. આ બોટમાંથી ત્રણ ઘૂસણખોર પાકિસ્તાની માછીમાર એવા 65 વર્ષના સૈયદ ગુલામ મુર્તજા, હસન મોહમ્મદ શાહ (રહે. વિલબલદિયા-કરાચી) અને 54 વર્ષીય અલી અકબર અબ્દુલગની (રહે. અકાઈ કોલોની - ભુટકેમારી, કરાચી)ને ઝડપી લેવાયા હતા. આ માછીમારોની પૂછતાપછમાં તેમણે આપેલી વિગતો મુજબ તેમની બોટનું ઈન્જિન ખરાબ થઈ ગયું હતું અને ભારે પવન તથા ઊંચા ઉછળતા મોજાના લીધે આ બોટ અજાણતા ભારતીય સીમાની સિરક્રીક બાજુ આવી પહોંચી છે. થોડા દિવસ અગાઉ લખપતના દરિયાઇ હરામીનાળા ક્રિક વિસ્તારમાંથી 3 પાકિસ્તાની સાથે એક માછીમાર બોટ ઝડપી પાડયા હતા.   

હોંશિયાર વિદ્યાર્થીઓને ડમી ઉમેદવાર તરીકે બેસાડવાનું ચાલી રહ્યું છે કાવતરું : યુવરાજસિંહનો ધડાકો

Gandhinagar: હાલ ચાલી રહેલી પરીક્ષાઓમાં કૌભાંડ થઈ રહ્યું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હાલ ડમી ઉમેદવારની મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે. ભાવનગર જિલ્લાના તળાજા અને સિહોર પંથકમાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવ્યા હતા. ચોક્કસ સમાજના મહેનતુ અને હોંશિયાર વિદ્યાર્થીઓને ડમી ઉમેદવાર તરીકે બેસાડવાનું કાવતરું ચાલી રહ્યું છે. નકલી માર્કશીટ, નક્લી સર્ટિફિકેટ અને નકલી ઉમેદવારોનું ષડયંત્ર સામે આવ્યું છે. Mphw, વિદ્યા સહાયક, તલાટી, બિંસચિવાલય અને ફોરેસ્ટની પરીક્ષામાં ડમી ઉમેદવાર અને નકલી સર્ટિફિકેટ કૌભાંડ ચાલ્યું છે. પરીક્ષા આપવા માટે નકલી સર્ટિફિકેટ પણ બનાવ્યા છે, નકલી આધારકાર્ડ બનાવીને પરીક્ષા આપે છે.


તેણે કહ્યું, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે કોઈ ઉમેદવાર નકલી PSI બની પોલીસ ટ્રેનિંગ સેન્ટર સુધી પહોચી જાય છે. કોઈ અધિકારી મુખ્યમંત્રીનું વિમાન લઈને જતો રહે છે. કોઈ ઠગ PMO ઓફિસર બનીને Z સિક્યોરિટી સાથે રોલા પાડે છે. આજે મારે આના કરતા પણ વિશેષ કૌભાંડ વિશે વાત કરવી છે. જે આ બધી ઘટનાનું મૂળ હોઈ શકે છે.

Surat Fire: સુરતની આઈ હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓને ખસેડવાની કામગીરી શરૂ

Surat News:  સુરતના ઉધના ત્રણ રસ્તા પાસે આવેલી આઈ હોસ્પિટલમાં આગ લાગી છે. આગ લાગ્યાની માહિતી મળતાં છ ફાયર ફાઇટર સ્થળ પર પહોંચ્યો હતા. હાલ દર્દીઓને ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.


તાજેતરમાં બનાસકાંઠાના કાંકરેજમાં આવેલી હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં એક કુમળા માસૂમનું મોત થયું હતું. હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.. ત્રણ બાળકોની NICUમાં સારવાર ચાલી રહી હતી ત્યારે આગની ઘટના બની હતી. કાંકરેજના શિંહોરીમાં આવેલી બાળકોની ખાનગી હની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા જ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં એક બાળકનું મોત થઈ ગયું હતું. જ્યારે અન્ય બે બાળકોને શિહોરીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હની હોસ્પિટલમાં ફાયર સેફ્ટિની વ્યવસ્થા હોવા છતાં આગ પર કાબૂ મેળવાય તે પહેલા જ એક બાળક તેમાં હોમાઈ ગયું હતું. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા હોવા છતાં શા માટે એક બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. ફાયર સેફ્ટીના સાધનો હતા તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કેમ ના કરવામાં આવ્યો તેવી પણ ચર્ચા આ ઘટના બાદ થઈ હતી.


Ahmedabad: નિકોલની સરદાર હોસ્પિટલના ડોક્ટરે હાથમાં ઈન્જેક્શન લઈ કરી આત્મહત્યા

Doctor Suicide in Ahmedabad: અમદાવાદના નિકોલ વિસ્તારમાં ડોક્ટરે સુસાઇડ કર્યાની ઘટના સામે આવી છે. નિકોલ વિસ્તારમાં આવેલી સરદાર હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડોક્ટર રાહુલે હાથમાં ઈન્જેક્શન લીધા હતા. જે બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. ડોક્ટરની આત્મહત્યાનું કારણ અકબંધ છે. નિકોલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Kichcha Sudeep: અભિનેતા કિચ્ચા સુદીપ કર્ણાટકમાં ભાજપને સમર્થન કરશે

બેંગલુરુમાં કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપે કહ્યું કે હું બોમાઈ સરને મારો ટેકો આપું છું, હું માત્ર ભાજપ માટે પ્રચાર કરીશ, ચૂંટણી નહીં લડું. આ દરમિયાન સીએમ બસવરાજ બોમાઈએ કહ્યું કે તેઓ ખૂબ જ લોકપ્રિય છે. આનો ફાયદો ભાજપને થશે. અમે સ્પષ્ટ માર્જિનથી જીતીશું. રાજ્યમાં ડબલ એન્જિનની સરકારને જનતા સમર્થન આપશે.

MHA: હનુમાન જયંતિ અંગે ગૃહ મંત્રાલયની રાજ્ય સરકારોને સલાહ

ગૃહ મંત્રાલયે હનુમાન જયંતિની તૈયારી માટે તમામ રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. સરકારોને કાયદો અને વ્યવસ્થાની જાળવણી, તહેવારનું શાંતિપૂર્ણ પાલન અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા કોઈપણ પરિબળો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.

BJP: ચોક્કસ સમુદાયના લોકો... સુશીલ કુમાર મોદી

બીજેપી સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, એક ખાસ સમુદાયના લોકોએ રામનવમીના સરઘસ પર પથ્થરમારો કર્યો, હિંસાને પ્રોત્સાહન આપ્યું. પોલીસ પ્રશાસનની મિલીભગતથી આ બન્યું હતું. બંને જગ્યાએ 5 દિવસ પછી ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. જો તેમણે (મુખ્યમંત્રી) એક દિવસ અગાઉ આ અર્ધલશ્કરી દળને બોલાવી હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત. બિહારશરીફ અને સાસારામમાં જે કંઈ થયું તેના માટે નીતિશ કુમાર જવાબદાર છે.

Delhi: હનુમાન જયંતિ પહેલા જહાંગીરપુરીમાં ફ્લેગ માર્ચ

દિલ્હી: હનુમાન જયંતિ પહેલા જહાંગીરપુરીમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી છે. તે જ સમયે, પોલીસે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય જૂથને 6 એપ્રિલે હનુમાન જયંતિના અવસર પર દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શોભાયાત્રા કાઢવાની પરવાનગી નકારી દીધી છે.

J&K: અમે પીએમ મોદી-ભાજપનો દુરુપયોગ કરતા નથી - ગુલામ નબી આઝાદ

DAP ચીફ ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમે મોદી અને બીજેપીને ગાળો આપતા 24 કલાક જાગતા નથી. વિદેશ નીતિમાં વિશ્વ નિષ્ફળ ગયું છે પણ ભારત સફળ થયું છે. ભાજપે કેટલીક બાબતોમાં સુધારો કરવો પડશે, નહીં તો તેમની પણ કોંગ્રેસ જેવી હાલત થઈ શકે છે. વિધાનસભાઓમાં તોડફોડ કરવાની પ્રક્રિયા બંધ કરવી પડશે.

BJP: JP નડ્ડા-અમિત શાહ PM મોદીને મળશે

ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

Parliament: લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યે સ્થગિત

રાહુલ ગાંધી અને અદાણી મામલે ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

Bihar: બિહારમાં ષડયંત્ર હેઠળ હિંસા- નીતિશ કુમાર

બિહારમાં હિંસા અંગે મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, બિહારમાં એક ષડયંત્ર હેઠળ હિંસા થઈ છે, જેની તપાસ ચાલી રહી છે. આ બધું જાણી જોઈને કરવામાં આવ્યું છે. બિહારનું વાતાવરણ બગાડવા માટે હિંસા કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો છે કે બિહારમાં વહીવટીતંત્ર એલર્ટ પર છે. તેણે તો ત્યાં સુધી કહ્યું કે દેશમાં બે લોકો છે. એક શાસક છે અને બીજો એજન્ટ છે.

Congress: જેને 3 વર્ષની સજા થાય છે, તેનું સભ્યપદ રદ થતું નથી, પરંતુ... - મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના સવાલ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ પર દબાણ નથી કરતી. હું એમ પણ કહેવા માંગતો નથી કે સરકાર દબાણ કરી રહી છે, પરંતુ એક ઉદાહરણ છે કે જે વ્યક્તિને 3 વર્ષની સજા થાય છે તેને રદ કરવામાં આવતી નથી અને જે વ્યક્તિ (રાહુલ ગાંધી) સત્ય બોલે છે તેને રદ કરવામાં આવે છે.

BJP: ન્યાયતંત્ર પર રાહુલ-કોંગ્રેસ પક્ષ... - જ્યોતિરાદિત્ય સિંધિયા

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ ન્યાયતંત્ર પર દબાણ અને ધમકી આપીને કામ કર્યું છે. વ્યક્તિગત કાયદાકીય લડાઈને લોકશાહીની લડાઈ તરીકે ફેલાવવામાં આવી છે, તે યોગ્ય નથી.

કોઝિકોડ ટ્રેન આગ કેસમાં એક વ્યક્તિની અટકાયત

મહારાષ્ટ્ર: કોઝિકોડ ટ્રેનમાં આગની ઘટના પર ટિપ્પણી કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ જઘન્ય અપરાધ કરનાર વ્યક્તિ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં પકડાયો છે. હું મહારાષ્ટ્ર સરકાર, તેમની પોલીસ અને આરપીએફ અને એનઆઈએનો આભાર માનું છું જેણે તેને આટલી ઝડપથી પકડી લીધો.

Parliaments: કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાના મુદ્દે સ્થગિત નોટિસ

સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં ખેડૂતોના વળતર માટે પેકેજની માંગણી અને કમોસમી વરસાદથી થયેલા પાકને નુકસાનના મુદ્દા પર ચર્ચા કરવા માટે સ્થગિત નોટિસ આપી છે.

West Bengal: બંગાળ હિંસા પર આજે કલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી

પશ્ચિમ બંગાળ હિંસા મામલે આજે કલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. સુવેન્દુ અધિકારીની અરજી પર કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ સિવાય કેન્દ્ર સરકારે રિપોર્ટ માંગ્યો છે જેના માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

Parliament: અદાણી-રાહુલ મુદ્દે સંસદમાં આજે પણ હોબાળો

આજે પણ અદાણી અને રાહુલના મુદ્દે સંસદમાં હંગામો થવાની પુરી શક્યતાઓ છે. વિપક્ષી પાર્ટીઓ સવારે 10 વાગ્યે આગળની રણનીતિ પર વિચાર કરશે.

NATO: ફિનલેન્ડ નાટોમાં જોડાયું

ફિનલેન્ડ નાટોમાં જોડાયા બાદ હલચલ વધી ગઈ છે. ફિનિશ સંસદની વેબસાઇટ હેક કરવામાં આવી હતી, જેના માટે રશિયન હેકર્સ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

America: મને ચૂંટણીમાં રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે - ટ્રમ્પ

એડલ્ટ સ્ટાર કેસમાં હાજર થયા બાદ ટ્રમ્પે કહ્યું કે મને આગામી ચૂંટણીમાં રોકવાનું ષડયંત્ર છે. આ દરમિયાન તેણે એમ પણ કહ્યું કે અમેરિકા નર્કમાં જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, મેનહટન કોર્ટમાં ટ્રમ્પ પર 34 આરોપ લગાવવામાં આવ્યા હતા.

બ્રેકગ્રાઉન્ડ

Breaking News Live Updates 5th April' 23: ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મેનહટન કોર્ટમાં હાજર થયા. કોર્ટ સમક્ષ સીલબંધ એન્વલપમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી જેમાં ટ્રમ્પ પર 34 આરોપો મૂકવામાં આવ્યા હતા. જોકે, ટ્રમ્પ પર લાગેલા આરોપો કોર્ટ દ્વારા સાર્વજનિક કરવામાં આવ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી સુનાવણી ડિસેમ્બરમાં થઈ શકે છે.


કોર્ટમાં હાજર થયા બાદ ટ્રમ્પ ન્યૂયોર્કથી ફ્લોરિડા પહોંચ્યા હતા જ્યાં તેમણે જાહેર સભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે મને ચૂંટણી લડવાથી રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમેરિકામાં આવું થશે એવું ક્યારેય વિચાર્યું ન હતું.


કલકત્તા હાઈકોર્ટમાં આજે હિંસા પર સુનાવણી


હુગલીના રિસડામાં થયેલી હિંસા પર આજે કલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. આ અરજી ભાજપના નેતા શુભેંદુ અધિકારીએ દાખલ કરી હતી. કોર્ટે મમતા સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં રમખાણો અને ખરાબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે રિપોર્ટ માંગ્યો છે અને મમતા સરકારને ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવા કહ્યું છે.


તે જ સમયે, બંગાળ બીજેપી અધ્યક્ષે ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં કહ્યું કે બંગાળમાં હિન્દુઓ અને લઘુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રામ નવમી હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવતા મમતા બેનર્જીએ કહ્યું કે આ એક ગુનાહિત હિંસા છે. હંગામો કરવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા છે. આ પહેલા રાજ્ય સરકાર પર પ્રહાર કરતા બીજેપી નેતા લોકેજ ચેટર્જીએ કહ્યું કે, કોમી તણાવ પાછળ મમતા બેનર્જીનો હાથ છે. પોલીસ હુમલાખોરોની ધરપકડ કરી રહી નથી.


બજેટ સત્રના છેલ્લા બે દિવસ


સંસદના બજેટ સત્રના છેલ્લા બે દિવસ બાકી છે. અદાણી કેસ અને વિદેશમાં રાહુલના નિવેદનને લઈને ગૃહમાં પક્ષો અને વિપક્ષ વચ્ચે લડાઈ ચાલી રહી છે. આ સાથે જ છેલ્લા બે દિવસને લઈને આજે વિપક્ષની મહત્વની બેઠક મળવાની છે. વિપક્ષી પાર્ટીના સાંસદો સંસદ સંકુલમાં એકઠા થશે જ્યાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.