Intruders Shot Dead Near India-Pakistan Border: પંજાબમાં BSFએ 5 સંદિગ્ધ પાક ઘુસણખોરોને કર્યા ઠાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Aug 2020 01:43 PM (IST)
BSFએ શનિવારે પંજાબમાં અંતરરાષ્ટ્રીય સરહદ પર પાંચ સંદિગ્ધ પાકિસ્તાની ઘુસણખોરને ઠાર કર્યા છે.
ચંદીગઢ: BSFએ શનિવારે પંજાબમાં અંતરરાષ્ટ્રીય સરહદ પર પાંચ સંદિગ્ધ પાકિસ્તાની ઘુસણખોરને ઠાર કર્યા છે. અધિકારીઓએ કહ્યું કે ઘટના ત્યારે બની જ્યારે બીએસએફના જવાનોએ તરન તારણ જિલ્લામાં સરહદ પર કેટલીક સંદિગ્ધ ગતિવિધિ જોઈ. તરન તારણમાં પાંચ સંદિગ્ધ સરહદ પાર કરવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યારે બીએસએફની બટાલિયને પાંચેયને ઠાર કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘુસણખોરોને પડકારવામાં આવ્યા હતા અને બાદમાં તેમને ઠાર મારવામાં આવ્યા હતા. રાઇફલ સાથે બે શબ મળી આવ્યા છે. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. બીએસએફે કહ્યું કે 103 બટાલિયનના જાગૃત સૈનિકોએ તરન તારણની આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરોને જોયા હતા. તેમને સમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું કે અચાનક ઘુસણખોરોએ બીએસએફ પર ફાયરિંગ શરૂ કરી દિધુ હતું. જવાબી કાર્યવાહીમાં પાંચ ઘુસણખોરોને ઠાર કરવામાં આવ્યા હતા. સરહદ પર હજી સર્ચ ઓપરેશન ચાલુ છે. માર્યા ગયેલા લોકો વિશે એ જાણકારી મેળવવામાં આવી રહી છે કે શું તેઓ આતંકી છે કે દાણચોરો.