નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના શાહીનબાદમાં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને એનઆરસી વિરુદ્ધ લગભગ બે મહિનાથી પ્રદર્શન ચાલી રહ્યાં છે. આ પ્રદર્શનને લઇને દાખલ કરવામાં આવેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. આ અરજીઓમાં નોઇડા સાથે જોડાનારા રસ્તાંઓ બંધ હોવાથી લાખો લોકોને પડે રહેલી મુશ્કેલીઓ અંગેના સવાલો ઉઠાવવામાં આવ્યા છે.


ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકાર પાસે જવાબ માંગ્યા હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે, વિરોધ પ્રદર્શનના કારણે સામાન્ય લોકોને પરેશનાની ના થવી જોઇએ. સાર્વજનિક રસ્તાંઓ બંધ કરવા યોગ્ય નથી.

જોકે, બીજીબાજુ પ્રદર્શનકારીઓ કહી રહ્યાં છે કે, રસ્તાં પર બેસવુ નથી ગમતુ પણ સીએએ અને એનઆરસીના વિરોધમાં રસ્તાંઓ ખાલી નહીં કરીએ.



વકીલ અમિત સાહની અને બીજેપી નેતા નંદકિશોર ગર્ગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

સુ્પ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓમાં એ માંગ કરવામાં આવી છે કે, કોર્ટ દિલ્હી પોલીસને શાહીન બાગમાં રસ્તાં પરથી લોકોને હટાવવાનો આદેશ આપે.

આ અરજીઓમાં દિલ્હીને નોઇડા સાથે જોડનારો મુખ્ય માર્ગ બંધ હોવાથી લાખો લોકોને અવરજવરમાં તકલીફો પડી રહી હોવાનો સવાલો ઉઠાવાયા છે. શાહીન બાગમાં લગભગ 70 દિવસથી ધરણા પ્રદર્શન ચાલુ છે.


રસ્તા ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં એ પણ માંગ કરવામાં આવી છે કે, કોર્ટ પોલીસને એ જોવાનુ કહે કે ત્યાં ભાષણ આપનારા લોકોને કયા સંગઠનો સાથે સંબંધ છે. ક્યાંક તેમનો ઉદ્દેશ્ય દેશવિરોધી ગતિવિધિઓ માટે લોકોને ભડકાવવાનો તો નથીને.

વળી, સીએએ વિરોધી પ્રદર્શનકારીઓએ જામિયા મિલ્લિાયા ઇસ્લામિયા અને શાહીન બાગમા સુરક્ષા વધારવાની માંગ કરી છે. આ વિસ્તારોમાં હાલ ફાયરિંગની પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે. પ્રદર્શનકારીઓ આશંકા જતાવી રહ્યા છે કે આઠમી ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન આવી ઘટનાઓ ફરીથી થઇ શકે છે. ઉલ્લેખનયી છે કે ફાયરિંગની ત્રણ ઘટનાઓ ઘટી ચૂકી છે.