અજમેર-ભીલવાડા હાઇવે પર અલ્ટો કારે સ્પીડ બ્રેકર આવતા અચાનક બ્રેક મારી હતી. જેના કારણે પાછળ પૂરપાટ ઝડપે આવતા ટ્રેકે કારને ટ્કકર મારતાં અકસ્માત સર્જાયો હતો. અક્સ્માત એટલો ભંયકર હતો કે, કારમાં સવાર મા, દીકરી અને પુત્રવધુના મૃત્યુ નિપજ્યાં જ્યારે 3 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. પરંતુ સદભાગ્ય એ રહ્યું કે, કારમાં સવાર માસૂમ 2 બાળકોનો વાળ પણ વાંકો ન થયો. આટલા ભયંકર અકસ્માતમાં એક કારમાં સવાર એક વર્ષ અને  3 વર્ષના માસૂમ બાળકોએ એક ઉઝરડો પણ નથી પડ્યો. બંને માસૂમ બાળકોનો કુદરતી બચાવ થયો છે.


કારમાં સવાર 8 લોકોમાંથી 2 મહિલાઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે કારમાં સવાર 4 લોકો ઘાયલ થઈ ગયા છે. ઘાયલોને વિજયનગર હોસ્પિટલ લઈ  જવાયા , જ્યાં સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત નીપજ્યું છે, તો એક પુરુષ અને બે મહિલાને ગંભીર હાલતમાં ભીલવાડા રિફર કરવામાં આવ્યા છે. અક્સ્માતમાં  સાસુ પ્રભાદેવી, દીકરી કિરણ જોશી અને પુત્રવધૂ સત્યવતી દેવીનાં મૃત્યુ થયા છે. 


પોલીસ સૂત્ર દ્રારા મળતી માહિતી મુજબ તમામ લોકો મૂળ કેરાળાના નિવાસી હતા અને હાલ ભીડવાડામાં નિવાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારને ઘટનાની સૂચના આપી દેવાઇ છે.  ત્રણેય મૃતકોમાંથી એકનો મૃતદેહ વિજયનગર અને 2ના મૃતદેહ ગુલાબપુરા હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે.