એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે કલમ 153 સહિત ભાદસંની વિભિન્ન સંબંધિત કલમો પ્રમાણે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ જયલલિતાના સ્વાસ્થ્ય અંગે અફવા ફેલાવવાના આરોપમાં પહેલાથી જ આઠ વ્યક્તિઓની ધરપકડ કરી ચૂકી છે. 22 સપ્ટેબરથી અપોલો હોસ્પિટલમાં જયલલિતાની સારવાર ચાલી રહી છે.
પોલીસે મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય વિશે અફવાહ ફેલાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આ મુદ્દા પર તે પહેલાથી જ લગભગ 50 કેસ નોંધાઈ ચૂક્યા છે.