ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના સ્વાસ્થ્યની સ્થિતિ અંગે કથિત રીતે અફવા ફેલાવવાને લઈને સામાજિક કાર્યકર્તા ‘ટ્રેફિક’ના આર રામાસ્વામી અને તેમની સહયોગી ફાતિમા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.


એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે કલમ 153 સહિત ભાદસંની વિભિન્ન સંબંધિત કલમો પ્રમાણે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ જયલલિતાના સ્વાસ્થ્ય અંગે અફવા ફેલાવવાના આરોપમાં પહેલાથી જ આઠ વ્યક્તિઓની ધરપકડ કરી ચૂકી છે. 22 સપ્ટેબરથી અપોલો હોસ્પિટલમાં જયલલિતાની સારવાર ચાલી રહી છે.

પોલીસે મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય વિશે અફવાહ ફેલાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આ મુદ્દા પર તે પહેલાથી જ લગભગ 50 કેસ નોંધાઈ ચૂક્યા છે.