છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના ગોદમ પોલીસે શનિવારે એક હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. પ્રેમ પ્રકરણને લઈ હત્યા કરવામાં આવી હતી. નેસલનારના યુવક સતીશ નાગની હત્યા કોઈ અન્યએ નહીં પણ તેની પ્રેમિકા સુખમતી નાગે તેના સગીર પુત્ર અને પડોશી સાથે મળીને કરી હોવાનો પર્દાફાશ થયો હતો. ઘટનાના 13 દિવસ બાદ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. જેમની પાસેથી મોબાઈલ, મૃતકનું બાઈક અને ઘટનામાં ઉપયોગમાં લીધેલા સાધન મળી આવ્યા હતા.


માતા પ્રેમી સાથે કઢંગી હાલતમાં હતીને પુત્ર પહોંચી ગયો.....


જાણકારી મુજબ બારસુરની રહેવાલી સુરમતી નાગ તેના પ્રેંમી સતીશ સાથે ઘરમાં શરીર સુખ માણતી હતી. આ સમયે તેનો પુત્ર અચાનક રૂમમાં પહોચી ગયો હતો. પોતાની માતાને કઢંગી હાલતમાં જોઈને તેનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને નજીકમાં જ પડેલી કુહાડી લઈને સતીશના માથામાં ફટકારી હતી. કુહાડીનો ફટકો મારતાં પ્રેમી પ્રેમિકાના નગ્ન દેહ પર ઢળી પડ્યો હતો. પુત્ર સામે પોતાની સાચી સાબિત કરવા માતાએ પણ સાથ આપ્યો અને બંનેએ મળીને યુવકની હત્યા કરી દીધી.  શોરબકોર સાંભળીને પડોશી વ્રજલાલ પણ સ્થળ પર પહોંચ્યા અને મામલાને દબાવવા માટે લાશને નદીમાં ફેંકી દીધી.


આ રીતે ખુલ્યું હત્યાનું રહસ્ય


25 જુલાઈએ ગીદમ નદીમાંથી એક લાશ મળી હતી. જેની ઓળખ સતીશ તરીકે થઈ ગઈ હતી. લાશની સાથે એક બેગ પણ મળી હતી. તે બેગમાં સુખમતી નાગનું આધાર કાર્ડ હતું. આધાર કાર્ડને હત્યાનો પુરાવો માની પોલીસે ઝીણવટભટી તપાસ હાથ ધરી હતી. જેમાં જાણકારી મળી કે યુવક સતીશ સુખમતીના ઘરે આવતો જતો હતો. બંને પ્રેમમાં ગળાડૂબ હતા,. જે બાદ સુખમતીને પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી.


લાશને ઠેકાણે પાડવા પડોશીએ શું કરી હતી માંગ


પોલીસ અનુસાર હત્યામાં સામેલ વ્રજલાલ જ્યારે સુખમતીના ઘરે પહોંચ્યા ત્યારે મા-દીકરા હત્યા કરી ચુક્યા હતા અને લાશ ઠેકાણે પાડવા તેમની મદદ લીધી હતી. વ્રજલાલ અને મહિલાના પુત્રેએ લાશને બાઈક પર રાખીને ગીદમ નદીમાં ફંકી દીધી હતી. જેના માટે વ્રજલાલે મૃતક સતીશના બાઈક અને મોબાઈલની માંગ કરી હતી.. જેના પર સહમત થઈ ગયા હતા.