મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની જાહેરાત અનુસાર રાજ્યમાં ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલીવરી સર્વિસીસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. કહેવાઈ રહ્યું ચે કે, સીએમ ચંત્રશેખરે આ નિર્ણય દિલ્હીમાં એક ડિલીવરી બોયના સંક્રમિત મળી આવ્યા બાદ લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, સોમવારે રાજ્યમાં ફૂડ ડિલીવરી એપનાં સંચાલનને મંજૂરી નહીં હોય.
રાજ્યમાં 858 કોરોના સંક્રમિત
તેલંગાનામાં COVID-19ના 858 કેસ છે, જેમાંથી 186 દર્દી ઠીક થઈ ગયા છે અને 21 લોકોના મોત થયા છે. આ વાતની જાણકારી પણ રાજ્યના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે આપી છે.