નવી દિલ્હીઃ પીએમ મોદીએ દેશવ્યાપી લોકડાઉન ભલે 3 મે સુધી વધાર્યું હોય પરંતુ તેલંગાનામાં મુખ્યમંત્રી કેસીઆરે રાજ્યમાં લોકડાઉનને 7 મે સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. તેલંગાનામાં 8 મેથી લોકડાઉન ખોલવામાં આવશે જ્યારે દેશના બાકીના ભાગમાં કેન્દ્રના આદેશ અનુસાર 3 મે સુધી જ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.


મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની જાહેરાત અનુસાર રાજ્યમાં ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલીવરી સર્વિસીસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. કહેવાઈ રહ્યું ચે કે, સીએમ ચંત્રશેખરે આ નિર્ણય દિલ્હીમાં એક ડિલીવરી બોયના સંક્રમિત મળી આવ્યા બાદ લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, સોમવારે રાજ્યમાં ફૂડ ડિલીવરી એપનાં સંચાલનને મંજૂરી નહીં હોય.

રાજ્યમાં 858 કોરોના સંક્રમિત

તેલંગાનામાં COVID-19ના 858 કેસ છે, જેમાંથી 186 દર્દી ઠીક થઈ ગયા છે અને 21 લોકોના મોત થયા છે. આ વાતની જાણકારી પણ રાજ્યના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે આપી છે.