કોલકાતા: બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ફરિ એકવાર નોટબંધીને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. મમતા બેનરજીએ ટ્વિટર પર ટ્વીટ કરતા નોટબંધીના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. તેમણે લખ્યું કે આ કેવા પ્રધાનમંત્રી છે જે વિપક્ષને ધમકાવી અને ડરાવીને રાખે છે.


તેમણે લખ્યું જ્યારથી સરકારે નોટબંધીનો નિર્ણય લીધો છે, ત્યારથી 15 વખત તેના નિર્ણયમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેનું કારણ છે કે કેંદ્ર પોતે આ નિર્ણયથી મુશ્કેલીમાં છે. તેમણે વધુમાં લખ્યું કે લોકો મુશકેલીમાં છે અને દુખી છે, લોકોને સમજવા એ સરકારનો ફર્જ છે. સરકારે કાળા નાણાં વાળાઓ પર સકંજો કસવો જોઈએ નહી કે આમ જનતા પર, લોકો તેમને ક્યારેય માફ નહી કરે.

તેમણે કહ્યું પીએમ પોતાને જાદુગર સમજે છે. એક રાત ભ્રષ્ટાચાર પર અંકુશ નથી લાગતો. તેમણે લખ્યું સરકારના આ નિર્ણયથી લોકો પરેશાન છે.

મમતા બેનરજીએ નોટબંધી પર કવિતા લખી છે. આમ જનતાને ધ્યાનમાં રાખી તેમણે આ કવિતા લખી છે અને ફેસબુક, ટ્વીટર પર શેર પણ કરી છે.