મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું રાજ્યમાં લોકડાઉન હટાવવાની પ્રક્રિયા ચરણબદ્ધ રીતે લાગુ કરવામાં આવશે. સીએમ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે કોવિડ19નો ખતરો હજુ પણ છે. તેમણે કહ્યું કે હું નથી ઈચ્છતો કે રાજ્યમાં સંક્રમણની બીજી લહેર આવે.
કોરોના સંક્રમણના કારણે અમરાવતીમાં લોકડાઉન 8 માર્ચ સુધી લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ વધતા આ વખતે અમરાવતી અને અચલપુર શહેરની સાથે હવે અંજનગાંવ સુર્જી શહેરમાં પણ લોકડાઉન લાગુ કરવાની વાત કહેવામાં આવી છે. અંજનગાંવ સુર્જી શહેરમાં વધારે કોરોના કેસ હોવાના કારણે તેને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરાયો છે. માત્ર જરૂરીનયાતની ચીજ વસ્તુઓની મંજૂરી આપવામાં આવી છે.