Nagaland Assembly  Election: કોંગ્રેસે શનિવારે (4 ફેબ્રુઆરી) નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટી દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદી અનુસાર નાગાલેન્ડ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે.થેરીને દીમાપુર-1થી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.






ઉમેદવારોની યાદી જાહેર થવાના એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે (3 ફેબ્રુઆરી) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી શનિવારે (4 ફેબ્રુઆરી) કોંગ્રેસે યાદી જાહેર કરી છે.


કોંગ્રેસે દિમાપુર-2થી એસ અમેન્ટો ચિસ્તી, દીમાપુર-3થી વી લાસુહ અને ટેનિંગથી રોઝી થોમસને ટિકિટ આપી છે. નાગાલેન્ડની તમામ 60 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતગણતરી 2 માર્ચે થશે.


હાલમાં રાજ્ય વિધાનસભામાં કુલ 59 સભ્યો છે. આમાંથી NDPP પાસે 41 સભ્યો, BJP 12, Naga People's Front (NFF)ના ચાર, અને બે અપક્ષ સભ્યો છે જ્યારે એક સીટ હાલમાં ખાલી છે.


છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં નાગાલેન્ડમાં કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી. પૂર્વ મુખ્યમંત્રી ટીઆર ઝેલિયાંગના નેતૃત્વમાં એનપીએફ 26 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી. આ ચૂંટણીમાં વરિષ્ઠ નેતા નેફિયુ રિયોના નેતૃત્વમાં એનડીપીપીએ 17 બેઠકો અને ભાજપે 12 બેઠકો જીતી હતી. બાદમાં ભાજપ અને એનડીપીપીએ જનતા દળ યુનાઇટેડ અને અન્ય કેટલાક પક્ષોના સમર્થનથી રાજ્યમાં સરકાર બનાવી અને નેફિયુ રિયો ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.


ભાજપે પણ યાદી જાહેર કરી છે


ભાજપ રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધન કરીને નાગાલેન્ડની ચૂંટણી લડી રહી છે. આ અંતર્ગત 40 સીટો એનડીપીપીના ખાતામાં અને 20 સીટો ભાજપના ખાતામાં ગઈ છે.


MP Election 2023: હવે MPના ચૂંટણી મેદાનમાં AAP આપશે ટક્કર, તમામ 230 બેઠકો ઉતારશે ઉમેદવારો


MP Assembly Election 2023: મધ્યપ્રદેશના ચૂંટણી રાજ્યમાં વર્ષ 2023ના છેલ્લા મહિનામાં ચૂંટણી છે. વિધાનસભા ચૂંટણી પહેલા અત્યાર સુધી મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી હતી. પરંતુ હવે આમ આદમી પાર્ટી (AAP)એ પણ ત્રીજા મોરચા તરીકે ચૂંટણીમાં એન્ટ્રી મારી છે. આમ આદમી પાર્ટીના સંગઠન મહાસચિવ શનિવારે ભોપાલ આવ્યા હતા. સંદીપ પાઠકે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો મધ્યપ્રદેશની તમામ 230 સીટો પર ચૂંટણી લડશે. દિલ્હી અને પંજાબમાં થયેલા વિકાસ કાર્યોના આધારે રાજ્યમાં વોટ માંગવામાં આવશે


નોંધનીય છે કે થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના એમપી યુનિટનું વિસર્જન કરવામાં આવ્યું હતું. રાજ્યની કમાન AAPના સંગઠન મહાસચિવ અને રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકને સોંપવામાં આવી છે. પાઠકના નેતૃત્વમાં શનિવારે આમ આદમી પાર્ટીની એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. આ સાથે સંદીપ પાઠકે જણાવ્યું હતું કે દોઢ મહિનામાં ફરી એમપી યુનિટની રચના કરવામાં આવશે