નવી દિલ્હીઃ લોકસભામાં કોગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ કાશ્મીર પર આપેલા નિવેદનને કારણે વિવાદ ઉભો થયો છે. કોગ્રેસ સાંસદે કહ્યું કે, કાશ્મીર ભારતનો આંતરિક મામલો નથી. તેમણે કાશ્મીરમાં આર્ટિકલ 370ને હટાવ્યાના પ્રસ્તાવ પર લોકસભામાં થયેલી ચર્ચા દરમિયાન આ વાત કરી હતી. અધીર રંજનના નિવેદનની કેન્દ્ર સરકાર અને ભાજપના નેતાઓએ ટીકા કરી હતી. સોશિયલ મીડિયા પર પણ તેમની ખૂબ ટીકા કરવામાં આવી હતી. કોગ્રેસ સાંસદે વિદેશ મંત્રી એસ.જયશંકરને પૂછ્યું કે હું વિદેશ મંત્રીને પૂછવા માંગું છું કે તમે દાવાની સાથે કહી શકો છો કે કાશ્મીર ઇન્ટરનનલ મામલો છે? કાશ્મીર કોઇ આંતરિક મામલો નથી. ચીન-પાકિસ્તાન કોરિડોર અંગે તમે શું કર્યું?
અધીર રંજન ચૌધરીએ બુધવારે પીઓકેએ ભારતમાં ભેળવવાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, પીઓકે પર ભારત તરફથી કોઇ કાર્યવાહી થઇ તો ચીન ચૂપ નહી બેસે. હવે ભારત પીઓકેમાં કાંઇ કરી શકે નહીં. ચીન જ્યારે પીઓકેમાં ઘૂસવા લાગ્યું તો પીઓકે પાકિસ્તાનના કબજામાં ચાલ્યું ગયું. હવે તમે કાંઇ કરી શકતા નથી. પીઓકેમાં કાંઇ કરવા જશો તો તમારે ચીન સાથે ટકરાવું પડશે. શું તમે તૈયાર છો? શું તમે પાકિસ્તાન અને ચીન સામે એકસાથે ટકરાવવા માટે તૈયાર છો? જો તૈયાર હોય તો પીઓકે પર કબજો કેમ કરતા નથી?
અધીર રંજને આર્મી ચીફને લઇને કહ્યું કે, જો સંસદ અમને મંજૂરી આપશે તો અમે પીઓકે પર કબજો કરી લઇશું. 1994માં આ સંસદે સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ કર્યો હતો કે પીઓકેને પોતાના કબજામાં લેવું જોઇએ. આજે પણ સરકાર તરફથી બીજો પ્રસ્તાવ લાવવામાં આવશે કે પીઓકેને પોતાના કબજામાં લઇ લો. તો શું તમારામાં હિંમત છે. તેમણે કહ્યું કે, પીઓકેમાં કાર્યવાહી કરવાનો અર્થ છે ચીન સામે દુશ્મની કરી લેવી. હાલમાં ચીન-પાકિસ્તાન કોરિડોર બની રહ્યો છે. આ કોરિડોર ગ્વાદર પોર્ટ સુધી જશે. આપણી ઇસ્ટર્ન ફ્રંટની સિક્યોરિટી ખત્મ થઇ જશે.
કોગ્રેસ સાંસદ અધીર રંજને કહ્યુ- કાશ્મીર ભારતનો આંતરિક મામલો નથી, POK પર એક્શન નહી લઇ શકે ભારત
એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 05 Feb 2020 10:24 PM (IST)