નવી દિલ્હી: વાઇરલ ફીવરમાં પટકાયેલા કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીને બે દિવસ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ ગઇ કાલે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. 69 વર્ષના સોનિયા ગાંધીને વાઇરલ ફીવરની સારવાર માટે 28 નવેમ્બરે રાત્રે આઠ વાગ્યે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ગઇ કાલે સવારે સાડા અગિયાર વાગ્યે ત્યાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.


ગયા ઓગસ્ટ મહિનામાં વારાણસીમાં કોંગ્રેસના રોડ-શો માટે ગયાં હતાં ત્યારે અચાનક બીમાર પડતાં તેમને બાર દિવસ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. એ ઉપરાંત તેમને ખભામાં થયેલી ઇજાની સારવાર માટે તાજેતરમાં ઓપરેશન પણ કરવામાં આવ્યું છે.