ભારતમાં કુલ કેસમાંથી 60 ટકા કેસ માત્ર પાંચ રાજ્યોમાંથી છે. જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્નાટક અને ઉત્તર પ્રદેશ સામેલ છે.
- મહારાષ્ટ્રમાં કુલ 9,67,349 કોરોના કેસ છે જે કુલ કેસના 21.7 ટકા છે.
- આંધ્રપ્રદેશમાં કુલ 5,27,512 કેસ છે જે કુલ કેસના 11.8 ટકા છે.
- તમિલનાડુમાં 4,80,524 કેસ છે જે કુલ કેસના 10.8 ટકા છે.
- કર્ણાટકમાં 4,21,730 કોરોના કેસ છે અને આ કુલ કેસના 9.4 ટકા છે.
- ઉત્તર પ્રદેશમાં કુલ 2,85,041 કેસ છે અને આ કુલ કેસના 6.4 ટકા છે.
પાંચ રાજ્યોમાં 69 ટકા મોત
દેશમાં કોરોનાથી કુલ મોતમાં 69 ટકા મોત આ પાંચ રાજ્યોમાં છે. જેમાં મહારાષ્ટ્ર(27,787), તમિલનાડુ (8,090), કર્નાટક (6,808), દિલ્હી (4,638 ) અને આંધ્રપ્રદેશ(4,634) સામેલ છે. કોરોનાથી સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે.
74 ટકા એક્ટિવ કેસ માત્ર આ 9 રાજ્યોમાં
મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, અસમ, ઓડિસા અને છત્તીસગઢમાં 74.2 ટકા એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ 77.74 ટકા છે જ્યારે મૃત્યુદર 1.68 ટકા છે.