ખરેખરમાં, મહારાષ્ટ્રમાંથી બે લોકો પોતાના સીતામઢીના રુન્નીસૈદપુરના માઘૌલ ગામમાં આવ્યા હતા. તેમના મહારાષ્ટ્રમાંથી પરત ગામમાં આવવાવી માહિતી આરોગ્ય વિભાગને તેમના જ ગામના એક શખ્સે આપી હતી. તેને આરોગ્ય વિભાગને ફોન કરીને કહ્યુ હતું કે તે બન્ને કોરોના સંદિગ્ધ છે.
હેલ્પ સેન્ટરમાં ફોન પર માહિતી આપ્યા બાદ આરોગ્યની ટીમ તે બન્ને સંદિગ્ધોના સેમ્પલ લીધા હતા.
આ વાતથી મહારાષ્ટ્રમાંથી પરત ફરેલા બન્ને વ્યક્તિ એટલા બધા ગુસ્સામાં આવી ગયા કે માહિતી આપનારા બબલુની મારી મારીને હત્યા કરી નાંખી હતી.
પોલીસને આ વાતની જાણ થતાં બબલુની હત્યાના ગુનામાં સાત લોકોની ધરપકડ કરી હતી.