નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાં આ બીમારી વિશે ઘણી વસ્તુઓ સામે આવી છે, જેના કારણે ઘણી વસ્તુઓ સ્પષ્ટ થઈ ગઈ છે. કોવિડ -19 ના મોટાભાગના કેસો 14 દિવસમાં ઘરમાં આઈસોલેશનમાં રહી છે સાજા થઈ જાય છે, પરંતુ,  ઘણા હળવા કેસો પણ  5થી લઈને  10  દિવસ દરમિયાન ગંભીર બની જાય છે.


લોકો સામાન્ય લક્ષણોમાં ઘરે રહીને સાજા થવાની કોશિશ કરતા હોય છે, કારણ કે તમારુ સૈચુરેશન સ્તર અને અન્ય રીપોર્ટ નોર્મલ હોય તો હોસ્પિટલમાં દાખલ થવાનો કોઈ મતલબ નથી. ખાસ કરીને ત્યારે જ્યારે તમામ હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે.


પરંતુ એ લોકો જેમને સામાન્ય સંક્રમણ છે અથવા એસિમ્ટોમેટિક છે, તેમણે પણ પોતાના લક્ષણો પર નજર રાખવી જોઈએ. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર આ સંક્રમણની સાચી સ્થિતિ 5થી લઈને 10 દિવસમાં જોવા મળે છે. એક્સપર્ટનું માનવું છે કે 14 દિવસના આઈસોલેશન દરમિયાન એ નક્કી થઈ જાય છે કે સંક્રમણ કેટલું ગંભીર છે. 


5થી લઈને 10માં દિવસમાં સંક્રમણ કેમ વધે છે ?


કોવિડ-19ની બીમારી અને રિકવરીને 14 દિવસના સમયને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. 1-4 દિવનસ, 5થી લઈને 10 દિવસ અને પછી 11થી લઈને 14 દિવસ.  લક્ષણો જોવા મળ્યા બાદ  શરુઆતના દિવસો દરેક વ્યક્તિઓ માટે અલગ હોય શકે છે, આ દરમિયાન વાયરલ સંક્રમણનું રિએક્શન જોવા મળે છે.  પરંતુ આ બીમારી દરમિયાન છઠ્ઠા અને સાતમાં દિવસે કેટલાક લોકોમાં ઈમ્યૂન સિસ્ટમ જરુર કરતા વધારે કામ કરે છે અને સંક્રમણને જડ મૂળથી દૂર કરવા માટે મોટી સંખ્યામાં એન્ટીબોડી ડેવલપ કનરે છે.  જેના કારણે શરીરમાં  સોજા આવે છે. ઘણા લોકો મા  આ સમયે રોગ સામેની લડત શરૂ થાય છે. અચાનક, જે સંક્રમણ  પ્રથમ અઠવાડિયામાં સ્વસ્થ થતુ જોવા મળતું હતુ તે  અચાનક ગંભીર થવાનું શરૂ થાય છે, જે દરેકને આશ્ચર્યમાં મૂકે છે.


આ લક્ષણો પર ધ્યાન આપવું ખૂબ જરુરી


કેટલાક ચેતવણીના સંકેતો જોવા મળે છે, જેનાથી ઘણા લોકોને લાગે છે કે હવે હોસ્પિટલમાં દાખલ થવું પડશે અને યોગ્ય સારવાર લેવાનો સમય છે. ઓક્સીજનનું લેવન ઓછુ થવા લાગે છે, તાવ આવવો, દવાઓ લીધા બાદ પણ સતત તાવ રહેવો, શ્વાસ લેવામાં તકલીફ, બેચાની જેવો સંકેતો જોવા મળે છે. બીમારીના બીજા અઠવાડીયામાં  હાઈપોક્સિયા, જે એક ગંભીર સ્થિતિ છે જેમાં ઓક્સીજન લેવલ કોઈ લક્ષણો વગર ઓછુ થવા લાગે છે. 


ક્યા લોકોમાં આ પ્રકારની સ્થિતિ આવે છે ?


 જે દર્દીઓને પહેલાથી જ અન્ય બીમારીઓ છે, તેમાં સાઈટોનિક સ્ટોર્મ થવાની વધારે શક્યતા છે. જે લોકોમાં હાઈ કોલેસ્ટ્રૉલ, ડાયાબિટીસ, મોટાપો, ઈમ્યૂનો સપ્રેશનની દવાઓ પર (જે લોકોમાં ટ્રાન્સપ્લાન્ટ થયા હોય છે અથવા જેમણે ઓટો ઈમ્યૂન ડિસ ઓર્ડર હોય છે) પહેલાના સંક્રમણના કારણે ઈમ્યૂનિટી નબળી થવી (જેમ કે એચઆઈવી) જેવી બીમારીઓને કારણે સાઈટોનિક સ્ટોર્મનો ખતરો વધી જાય છે. કોરોના વાયરસની બીજી લહેરમાં યુવાનો અને સ્વસ્થ દર્દીઓમાં પણ બીમારીના શરુઆતના સ્ટેજમાં જ ફેફસામાં સંક્રમણ પહોંચી જાય છે. તેના માટે સતર્ક રહેવું જરુરી છે અને ડૉક્ટરની સલાહ અનુસાર સમય રહેતા સીટી સ્કેન, એક્સ રે અને લોહીના રિપોર્ટ કરાવવા જોઈએ.


5થી લઈ 10માં દિવસ વચ્ચે લક્ષણો ગંભીર થવા લાગે તો શું કરવું ?



સંક્રમણના લક્ષણોનું ગંભીર થવું કોઈપણ વ્યક્તિની રિકવરી પર અસર પાડે છે. લક્ષણો જોવા મળતા જ ટેસ્ટ કરાવવો, ડૉક્ટરનો સંપર્ક કરવો અને સારવાર ચાલુ કરી દેવી યોગ્ય સાબિત થાય છે. ગંભીર કેસમાં હોસ્પિટલમાં દાખલ થવાની અને કેયરની જરુર પડે છે. એટલે ખૂબ જ જરુરી છે કે ઘર પર આઈસોલેશન સમયે શરુઆતના દિવસોમાં જ લક્ષણો પર ધ્યાન રાખો અને સતત ડૉક્ટરના સંપર્કમાં રહો અને ડૉક્ટર કહે એટલું જ કરો.