નવી દિલ્હીઃ ભારતમાં દરરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે જેણે સરકારની ચિંતા વધારી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓની સંખ્યા વધીને 13,387 પર પહોંચી ગઇ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 437 લોકોના મોત થયા છે. કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 23 લોકોના મોત થયા છે.




તેમણે કહ્યું કે, ગેશમાં કોરોના કેસ વધવામાં 40 ટકાનો ઘટાડો આવ્યો છે. કોરોના પોઝિટીવ 13.6 ટકા દર્દીઓ ઠીક થયા છે. દેશમાં કોરોનાના 80 ટકા દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યા છે. દેશ માટે એક પણ મોત ચિંતાનો વિષય છે. આપણે તમામ મોરચા પર કોરોના સામે લડવાનું છે. આપણા પ્રયાસ ઝડપથી કામ કરી રહ્યા છે. દેશમાં એન્ટી બોડીઝ પર કામ થઇ રહ્યુ છે. પ્લાઝ્મા ટેકનિકથી પણ સારવાર પર કામ કરી રહ્યા છે.  તેમણે કહ્યું કે, રાજ્યોને પાંચ લાખ ટેસ્ટ કિટ આપવામાં આવી રહી છે. મે સુધીમાં 10 લાખ ટેસ્ટ કિટ તૈયાર કરવાનો પ્રયાસ છે.