નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં  કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં ગઈકાલ કરતાં આજે કેસમાં થોડો ઘટાડો નોંધાયો છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 259,551 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4209 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,57,295 લોકો ઠીક પણ થયા છે.  

  • કુલ કેસ- બે કરોડ 60 લાખ 31 હજાર 99
  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 27 લાખ 12 હજાર 735
  • કુલ એક્ટિવ કેસ - 30 લાખ 27 હજાર 925
  • કુલ મોત - 2 લાખ 91 હજાર 331

મે મહિનામાં કુલ કેસ

તારીખ કેસ મોત
20 મે 259,551 4209
19 મે 2,67,334 3874
18 મે 2,63,553 4329
17 મે 2,81,386 4106
16 મે 3,11,170 4077
15 મે 3,26,098 3890
14 મે 3,43,144 4000
13 મે 3,62,727 4120
12 મે 3,48,421 4205
11 મે 3,29,942 3876
10 મે 3,66,161 3754
9 મે 4,03,738 4092
8 મે 4,07,078 4187
7 મે 4,14,188 3915
6 મે 4,12,262 3980
5 મે 3,82,315 3780
4 મે 3,57,299 3449
3 મે 3,68,147 3417
2 મે 3,92,498 3689
1 મે 4,01,993 3523

19 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં અત્યાર સુધી કોરોના રસીના 19 કરોડથી વધારે ડોસ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ગુરૂવારે રસીકરણ અભિયાનના 125માં દિવસે રસીના 14 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા. મંત્રાલયે કહ્યું કે, 18-44 વર્ષની ઉંમરના 736514 લોકોને ગુરુવારે કોરોના રસીને પ્રથમ ડોઝ આપવામાં આવ્યા તેવી જ રીતે આ રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધી 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આ ઉંમરના 85,84,054 લોકોને રસી આપવામાં આવી છે.

રાજ્યોની હાલત છે ખરાબ

કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત

સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.