કોરોના વાયરસ વિરુધ્ધની જંગમાં રાહતના સમાચાર એ પણ છે કે, દેશમાં ડબલિંગ રેટની સાથે રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે “કોવિડ-19ના દર્દીઓના સ્વસ્થ થવાનો દર છેલ્લા 14 દિવસમાં 13.06 ટકાથી વધીને હવે 25 ટકા થઈ ગયો છે.
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 3.2 ટકા છે. જેમાં 65 ટકા પુરુષ અને 35 ટકા મહિલાઓ સામેલ છે.” તેઓએ જણાવ્યું કે, કોરોનાના કેસ હવે 11 દિવસમાં ડબલ થઈ રહ્યાં છે, લોકડાઉન પહેલા 3.4 દિવસમાં ડબલ થઈ રહ્યાં હતા.