નવી દિલ્હીઃ દેશમાં વધતા કેસની વચ્ચે કોરોના વાયરસનો ચેપ હવે ભારતીય સેનામાં પણ લાગી ગયો છે. લદ્દાખમાં હાર એક સૈનિકને કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યો છે. આ સેનામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ છે. સેનાના સૂત્રો અનુસાર, કોવિડ 19 પોઝિટિવ મળી આવેલ સૈનિકના પિતા હાલમાં જ ઈરાનથી તીર્થયાત્રા કરીને પરત ફર્યા હતા.


આ દરમિયાન રજા પર ગયેલ આ સૈનિક ઘરે પોતાના પિતાના સંપર્કમાં આવ્યો હતો. આ મામલે તે પહેલા પિતા અને  બાદમાં બિન અધિકારી રેંકના આ સૈનિક કોવિડ પોઝિટિવ મળી આવ્યો છે. એક દિવસ પહેલા ટેસ્ટના પરિણામ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખીને સારવાર કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર, બીમાર સૈનિકની પત્ની, બહેન અને અન્ય પરિવારજનોને પણ અલગ રાખવામાં આવ્યા છે.

મહત્ત્વપૂર્ણ છે કે કોરોના પ્રભાવિત દેશોમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવેલ ભારતીય નાગરિકો માટે દેશના જુદા જુદા ભાગમાં અલગ રાખવાની સુવિધા બનાવી રહેલ ભારતીય સેનાએ પોતાના સૈનીકોને પણ આ ખતરા વિશે સતત સાવચેત કરી રહી છે. આ માટે સેનાના ઉત્તરી કમાંડથી લઈને પૂર્વ કમાંડ સુધી તમામ વિસ્તારમાં જાગરૂકતા ફેલવવા માટે વિશેષ સંચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર મેયર જુનૈદ અજીમ મટ્ટુના આગ્રહ પર સેના 1000 લિટર સ્ટર્લાઈઝેશન કેમિકલ પણ ઉપલબ્ધ કરાવી રહી છે. સેનાના ચિનાર કોરના આગ્રહ પર ભારતીય વાયુસેનાનું એક ડોર્નિયર વિમાન જંતુ મુક્ત કરવાના કામમાં આવનાર સ્ટર્લાઈઝેશન કેમિકેલ દિલ્હીથી લઈને જશે.