Corona JN.1 Variant: કોરોનાએ ભારતમાં ફરી એકવાર દસ્તક આપી છે અને તેનું સબ-વેરિઅન્ટ JN.1 ઝડપથી ફેલાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવાર 26 ડિસેમ્બર સુધી દેશભરમાં JN.1 કોવિડ વેરિઅન્ટના 109 કેસ નોંધાયા છે. આ વાયરસ અત્યાર સુધીમાં દેશના 8 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે.

Continues below advertisement

કયા રાજ્યમાં કેટલા કેસ

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી JN.1 કોવિડ વેરિઅન્ટના સૌથી વધુ 36 કેસ, કર્ણાટકમાંથી 34, ગોવામાંથી 14, મહારાષ્ટ્રમાંથી 9, કેરળમાંથી 6, રાજસ્થાનમાંથી 4, તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી 2 કેસ નોંધાયા છે. હાલમાં મોટાભાગના દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

Continues below advertisement

સર્વેલન્સ સિસ્ટમ મજબૂત કરવા પર ભાર

અગાઉ, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વીકે પૉલે કહ્યું હતું કે નવા પ્રકારની નજીકથી તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન, તેમણે રાજ્યો પર પરીક્ષણ વધારવા અને તેમની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવા પર ભાર મૂક્યો.

'ચિંતા કરવાની જરૂર નથી'

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, તેમણે કહ્યું કે ભલે દેશમાં સંક્રમિત કેસોની સંખ્યા વધી રહી છે અને તેના JN.1 સબ-વેરિઅન્ટની જાણ થઈ છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે 92 ટકા ચેપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. પરંતુ તેઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને વાયરસના હળવા ચિહ્નો છે. હાલમાં હોસ્પિટલમાં દર્દીઓના દાખલ થવાના દરમાં કોઈ વધારો થયો નથી.

કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે ગયા અઠવાડિયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમને જાહેર આરોગ્યના પગલાં અપનાવવા આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે તમામ આરોગ્ય સુવિધાઓમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) ના જિલ્લાવાર કેસોની નિયમિત દેખરેખ રાખવા અને તેની જાણ કરવા જણાવ્યું છે જેથી કેસના વધતા વલણને વહેલી તકે શોધી શકાય.

ભારતમાં કોરોનાના 529 નવા કેસ નોંધાયા  

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, બુધવારે (27 ડિસેમ્બર) ભારતમાં કોરોનાના 529 નવા કેસ નોંધાયા હતા, જેમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4093 થઈ ગઈ છે. આ સિવાય 3 સંક્રમિત લોકોના મોત પણ થયા છે. મૃતકોમાં બે કર્ણાટક અને એક ગુજરાતનો છે.

કોરોનાના આ નવા વેરિઅન્ટ JN.1 થી બચવું હોય તો આ રીતે તમારી ઈમ્યુનિટી કરો મજબૂત

દક્ષિણ આફ્રિકા સામે કેએલ રાહુલે કર્યો કમાલ, આ મામલે બન્યો ભારતનો માત્ર ત્રીજો બેટ્સમેન