Coronavirus News Live: ભારતમાં કોરોનાના કેટલા નોંધાયા કેસ ? 24 કલાકમાં કેટલા લોકોનું થયું રસીકરણ

Corona Update: 26 ડિસેમ્બર, 2022 થી 1 જાન્યુઆરી, 2023 ના અઠવાડિયામાં, વૈશ્વિક સ્તરે 3 મિલિયનથી વધુ નવા કેસ અને 10,000 મૃત્યુ નોંધાયા છે. .

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 09 Jan 2023 02:57 PM
ચીનમાં 90 ટકા લોકોને કોરોના સંક્રમિતઃ અધિકારી

ચીનના ત્રીજા સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંતમાં લગભગ 90 ટકા લોકો હવે કોવિડ-19થી સંક્રમિત થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સેન્ટ્રલ હેનાન પ્રાંતના હેલ્થ કમિશનના ડાયરેક્ટર કાન ક્વાંચેંગે કહ્યું કે 6 જાન્યુઆરી, 2023 સુધીમાં અહીંના 89.0 ટકા લોકો કોરોનાથી સંક્રમિત હતા.

અમેરિકાથી ધનબાદ આવેલી વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ

ધનબાદના ISMમાં અમેરિકાનો એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળ્યો છે. વિદ્યાર્થીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. તેની સાથે અન્ય એક વિદ્યાર્થીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ભારતમાં પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે

સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સક્રિય કેસ હવે કુલ ચેપ દરના 0.01 ટકા છે, જ્યારે દેશનો કોરોના રિકવરી રેટ વધીને 98.80 ટકા થઈ ગયો છે. 24 કલાકના ગાળામાં સક્રિય કોરોના કેસોમાં 52 કેસનો ઘટાડો નોંધાયો છે.

એક્સપર્ટે આપી જાપાનમાં કોરોના સ્પાઇકની ચેતવણી

એક જાપાની હેલ્થ એક્સપર્ટ ચેતવણી આપીને કહ્યું કે, જાન્યુઆરીના મધ્યમાં કોરોના વાયરસના મામલા વધી શકે છે. તેના કોરોનાના પાછલા તમામ રેકોર્ડ તૂટી જશે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 170 કેસ

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 170 નવા કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 4,46,80,094 થઈ ગયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 221 લોકોએ કોરોનાને હરાવ્યો છે. આ પછી, રિકવરીની કુલ સંખ્યા વધીને 4,41,47,002 થઈ ગઈ છે.

બ્રેકગ્રાઉન્ડ

Corona Live Updates:   ચીન અને જાપાનમાં કોરોનાના કેસોમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે જાપાનના એક સ્વાસ્થ્ય નિષ્ણાતે આ વખતે અગાઉના તમામ રેકોર્ડ તોડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે દૈનિક કોવિડની સંખ્યા 4,50,000 સુધી પહોંચી શકે છે. તે જ સમયે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ 4 જાન્યુઆરીએ જાહેર કરેલા સાપ્તાહિક કોવિડ અપડેટમાં જણાવ્યું હતું કે 26 ડિસેમ્બર, 2022 થી 1 જાન્યુઆરી, 2023 ના અઠવાડિયામાં, વૈશ્વિક સ્તરે 3 મિલિયનથી વધુ નવા કેસ અને 10,000 મૃત્યુ નોંધાયા છે. .


ચીનમાં કોરોનાના કેસ વધવાની સાથે હવે ફરી એકવાર અહીં કોરોનાના કેસ છુપાઈ રહ્યા છે. ચાઇનીઝ ડોકટરોને હવે મૃત્યુના અહેવાલોમાંથી મૃત્યુના કારણ તરીકે કોવિડ -19 દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. એક અહેવાલ મુજબ, ડોકટરોને કોવિડ -19 વાયરસને મૃત્યુના કારણ તરીકે સૂચિબદ્ધ ન કરવા માટે કહેવામાં આવ્યું છે.


 ભારતની વાત કરીએ તો, અહીં 8 ડિસેમ્બર કોરોના વાયરસના 163 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 4,46,79,924 થઈ ગયા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં કુલ 220.13 કરોડ રસીના ડોઝ (95.14 કરોડ સેકન્ડ ડોઝ અને 22.43 કરોડ નિવારક ડોઝ) આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 58,938 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.