નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, દરરોજ મોટા પ્રમાણમાં કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે. દિલ્હીમાં કોરોના મહામારીનો ફરી એકવાર ભય ફેલાયો છે, આ વાતને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર પાસે નાના સ્તર પર લૉકડાઉન લગાવવાની માંગ કરી છે.


દિલ્હીની કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકાર પાસે એક પ્રસ્તાવ મુક્યો છે, જેમાં દિલ્હીમાં કોરોનાના કાબુમાં લેવા માટે નાના સ્તર પર લૉકડાઉન લગાવવી માંગ કરાઇ છે. પ્રસ્તાવ પ્રમાણે, જરૂર મુજબ કેટલાક બજારો બંધ કરાય તેવી માંગ છે. આ વાતને લઇને એબીપી ન્યૂઝ પર રણદીપ ગુલેરિયાએ પણ મોટુ નિવેદન આપ્યુ, તેમને કહ્યું કે આ કોરોનાનો અંતિમ તબક્કો છે તેવુ કહેવુ વહેલુ ગણાશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની કેજરીવાલ સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પણ ફરી એકવાર લૉકડાઉનની સંભાવના દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, હાલ અહીં 4 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં સૌથી વધુ કેસ દિલ્હીમાંથી જ સામે આવ્યા છે. દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધુ 8500 કેસ સામે આવ્યા હતા. વળી, છેલ્લા એક અઠવાડિયામાં 51 હજારથી વધુ કેસો નોંધાયા છે, એટલુ જ નહીં દિલ્હીમાં શુક્રવારથી દરરોજ 90 લોકોના મોત થઇ રહ્યાં છે.